હિંસાને પગલે 4 દિવસ દિલ્હી ભડકે બળ્યું. દિલ્હીવાસીઓ પોલીસને ફોન કરતા રહ્યાં પોલીસે કેટલાક ફોન ઉપાડી ફોન પર ફરિયાદ પણ લીધી. જ્યારે કોલ પર માંગવામાં આવેલી મદદ અને ફરિયાદમાં પોલીસે શુ કર્યુ એ તપાસમાં આવ્યું તો સત્ય ચોંકાવનારું હતું. 4 દિવસમાં પોલીસને 13,200 ફોન આવ્યા પણ પોલીસે કર્યુ એવું કે તમને ફરીથી પોલીસની કામગીરી શંકા ઉપજાવશે.
દિલ્હીવાસીઓ પોલીસ સ્ટેશનમાં ફોન કરતા રહ્યા પણ પોલીસ..
દિલ્હી હિંસાને પગલે 42 લોકોના મોત નિપજ્યા છે
200 લોકો ઘાયલ થયા છે જે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે
દિલ્હીમાં 4 દિવસ થયેલી હિંસામાં 42 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં 200થી વધારે લોકો ઈજાગ્રસ્ત છે જે હાલ સારવાર હેઠળ છે. ત્યારે આ વિસ્તારમાંથી એવી હચમચાવી દેનારી ઘટનાઓની સ્ટોરી સામે આવી રહી છે. હિંસાની સામે શરુઆતના 4 દિવસનામાં પીડિતોના 13 200 ફોન પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. જોકે પોલીસ સ્ટેશનમાં આ કોલના જવાબમાં કંઈક અલગ જ સ્ટોરી સામે આવી હતી.
2 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કોલ રજિસ્ટરની સમીક્ષા કરી
23 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી દિલ્હીની હિંસામાં ઝઝૂબતી રહી. 23 ફેબ્રુઆરીએ પોલીસ કન્ટ્રોલ રુમને હિંસાગ્રસ્ત વિસ્તારોમાંથી 700 ફોન આવ્યા હતા. 24 ફેબ્રુઆરીએ 3500 ફોન આવ્યા હતા. 25 ફેબ્રુઆરીએ 7500 ફોન આવ્યા હતા. 26 ફેબ્રુઆરીએ 1500 ફોન પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. એક જાણીતી ન્યૂઝ ચેનલે જ્યારે 2 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કોલ રજિસ્ટરની સમીક્ષા કરી ત્યારે ચિત્ર કંઈક અલગ જ હતુ.
કોલ રજિસ્ટરના 8 પાનાની સમીક્ષા કરવામાં આવી
યમુના વિહાર વિસ્તાર ભજનપુરા પોલીસ સ્ટેશન અંતર્ગત આવે છે અને અહીંથી જ હિંસાની શરુઆત થઈ હતી. પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે 24- 26 ફેબ્રુઆરીની વચ્ચે તેમની પાસે લગભગ 3 હજાર કોલ આવ્યા હતા. એ બાદ ન્યૂઝ ચેનલ દ્વારા કોલ રજિસ્ટરના 8 પાનાની સમીક્ષા કરવામાં આવી જેમાં 9 કોલમ હતા. જેવા કે ફરિયાદ શું છે, ક્યારે મળી , ફરિયાદ મળતા શું પગલા લેવાયા વગેરે વગેરે.
પોલીસને ગોળીબારથી લઈને હિંસાના ફોન આવ્યા હતા
આ ફરિયાદમાં યમુના વિહાર વિસ્તારમાં ગોળીબારથી લઈને આગ લાગવા અને પથ્થરમારા સુધીનો ઉલ્લેખ છે. મોટા ભાગની ફરિયાદમાં ‘શુ પગલા લેવાયા’ની કોલમ ખાલી હતી. ઉદાહરણ તરીકે યમુના વિહારમાં એક મહિલાએ 24 તારીખે સાંજે 6.57 વાગે પોલીસને ફોન કર્યો હતો. જેમાં તેણે રમખાણ થઈ રહ્યાની ફરિયાદ નોંધાવી હતી. આની આગળની કોમલ ‘શું કામગીરી કરવામાં આવી’ની હતી, જે ખાલી હતી.
અસામાજિક તત્વોએ 60 કલાકથી વધારે બાનમાં લીધી હતી
જ્યારે યમુના વિહાર વિસ્તારના ભાજપના પાર્ષદ પ્રમોદ ગુપ્તાએ કહ્યું કે તેઓ સતત પોલીસને ફોન કરતા રહ્યાં પણ પોલીસે તેમને ફોન ઉપાડ્યો નહોતો. શિવ વિહારમાં રાજધાની પબ્લિક સ્કૂલને રમખાણો કરનારા અસામાજિક તત્વોએ 60 કલાકથી વધારે બાનમાં લીધી હતી.
તે કહેતા રહ્યા આવીએ છીએ પણ ન આવ્યા
સ્કૂલના માલિક ફૈસલ ફારુકે જણાવ્યું હતું કે તેઓ સતત પોલીસને ફોન કરતા રહ્યા પણ પોલીસ ન આવી. તેમણે કહ્યું હતું કે અમારા પર સોમવારે હુમલો થયો હતો. 2 વાગ્યા સુધી તમામ બાળકો અને સ્ટાફ જઈ ચૂક્યો હતો. 4-5 વાગ્યો આ બધુ શરુ થયું. અમે સતત ફોન કરતા રહ્યા અને તે કહેતા રહ્યા આવીએ છીએ પણ ન આવ્યા. ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર કરાવલ નગર પોલીસ સ્ટેશનની અંદર આવે છે.
‘શું પગલા ભરાય કે શું કામગીરી કરાઈ’ની કોલમ ખાલી હતી
કરાવલ નગર પોલીસ સ્ટેશનમાં કોલ લોગને જોતા ખબર પડે છે કે સોમવારે લગભગ 4 વાગે 2 ફોન આવ્યા હતા. બન્ને ફરિયાદમાં સ્કુલ પર હુમલો થયાની વાત કરવામાં આવી હતી. અહીં પણ ફરિયાદની આગળ શું કાર્યવાહી કરવામાં આવી તે કોલમ ખાલી હતી. કેટલીય ફરિયાદની આગળ ‘શું પગલા ભરાય કે શું કામગીરી કરાઈ’ની કોલમ ખાલી હતી.