નવી દિલ્હીમાં બીજેપી સાંસદ મીનાક્ષી લેખીએ કહ્યું છે, કે શાહીન બાગના લોકો ખુદ ઘરે ચાલ્યા જાય તો સારું છે. મીનાક્ષી લેખીએ કહ્યું કે પ્રદર્શનને કારણે શાહીન બાગના લોકોને મુશ્કેલી વધી રહી છે અને તેઓ નારાજ થઇ રહ્યા છે. તેથી સારું રહેશે કે પ્રદર્શનકારી હવે ઘરે ચાલ્યા જાય.
નોંધનીય છે કે, રાજધાની દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) ની વિરુદ્ધ લગભગ એક મહીનાથી શાંતિપૂર્ણ પ્રદર્શન ચાલી રહ્યું છે. વિરોધ પ્રદર્શનકારીઓ શાહીન બાગમાં રસ્તાની વચ્ચે રોડ પર 24 કલાક ધરણા-પ્રદર્શન કરી રહ્યા છે અને રસ્તાથી હટવા તૈયાર નથી. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, સરકાર જ્યાં સુધી નાગરિકતા સંશોધન કાયદો (CAA) પાછો નહીં ખેંચે ત્યાં સુધી અમે રસ્તા પરથી નહીં હટીએ અને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરતા રહીશું.
હવે ઘરે જાય પ્રદર્શનકારી
બીજેપી સાંસદ મીનાક્ષી લેખીનું નિવેદન આ રેલી બાદ આવ્યું છે. મીનાક્ષી લેખીએ કહ્યું કે, પ્રદર્શનને કારણે શાહીન બાગના લોકોની મુશ્કેલી વધી ગઇ છે અને તેઓએ હવે રસ્તો ખાલી કરી દેવો જોઇએ. શનિવારે મીનાક્ષી લેખીએ કહ્યું હતું કે, દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ નાગરિકતા કાયદાના મુદ્દા પર લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
રસ્તાને ખોલવાની માંગને લઇને રેલી
શાહીન બાગમાં જારી પ્રદર્શનને કારણે દિલ્હીથી નોઇડા જતા રસ્તાને ખોલવાની માંગ સાથે રવિવારે સરિતા વિહારના લોકોએ એક વિશાળ રેલી નીકાળી. આ લોકોનું કહેવું છે કે, પ્રદર્શનને કારણે રસ્તા બંધ છે અને આ કારણે તેમનો ધંધો ઠપ્પ થઇ ગયો છે. તેઓનું કહેવું છે કે, પ્રદર્શનને એક મહીનો વીતી ચૂક્યો છે.