ગુલામ નબી આઝાદે કહ્યું કે, આજે સદનમાં બોંબ વિસ્ફોટ જેવો માહોલ હતો. એક જ દિવસમાં 4 ઓર્ડિનન્સ સદનમાં આવે અને પાસ પણ થાય. આ બિલ સદનમાં 2 દિવસ પહેલા લાવવુ જોઈતુ હતું. કાશ્મીરના રાજ્યના નકશાને આજે ખતમ કરી નખાયો. દેશમાં 29ને બદલે હવે 28 રાજ્ય રહેશે.
ઉલ્લેખનીય છે કે, કાશ્મીરના સ્થાનિક દળોએ હંમેશા પાકિસ્તાનનો મુકાબલો કર્યો. કાશ્મીરવાસીઓ હંમેશા સેનાની પડખે ઉભા રહ્યા. કાશ્મીર વાસીઓએ હંમેશા ભારતને પોતાનો દેશ માન્યો છે. ઈતિહાસમાં કાશ્મીરવાસીઓને સુરક્ષા આપવાનો વિશ્વાસ અપાયો હતો.
Ghulam Nabi Azad,Congress in Rajya Sabha: Shameful that you have turned J&K into a non entity by making a Lt Governor there, so that you can appoint even a peon or a clerk, sitting here(Delhi). #Article370pic.twitter.com/aIjKu3Ju5n
ગુલાબ નબી આઝાદે વધુમાં જણાવ્યું હતું કે, બંધારણથી નહીં દીલ મળવાથી જોડાણ શક્ય. તમે ભારતના ઇતિહાસને બદલી રહ્યા છો. લદ્દાખમાં હાલ મુસ્લીમ બહુમતી છે. લદ્દાખમાં બુદ્ધ અને સીયા મુસ્લીમો વચ્ચે ભેદ વધુ મજબૂત કર્યા. કાશ્મીરવાસીઓની મરજી વિરૂદ્ધ નિર્ણય લેવાયો છે. કાશ્મીર આજના કાળા કાયદાને ક્યારેય નહીં સ્વિકારે.
અમિત શાહનું નિવેદન
ગૃહમંત્રી અમિત શાહે સોમવારના રોજ રાજ્યસભામા એક સંકલ્પ રજૂ કર્યો કે જેમાં કહેવામાં આવ્યું કે, સંવિધાનની કલમ 370ના તમામ ખંડ જમ્મૂ-કાશ્મીરમાં લાગુ નહીં થાય. ગૃહમંત્રીએ કહ્યું, 'રાષ્ટ્રપતિના અનુમોદન બાદ કલ 370ના તમામ ખંડ લાગુ નહીં થાય.' આ પહેલા સોમવાર સવારનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળના એક કલાક લાંબી બેઠક ચાલી.
જેમાં ઉચ્ચ નેતૃત્વએ જમ્મૂ-કાશ્મીરથી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી. ત્યારે રાજ્યસભામાં બીએસપી નેતા સતીશ ચંદ્ર મિશ્રાએ કહ્યું કે, તેમની પાર્ટી જમ્મૂ-કાશ્મીરથી કલમ 370 હટાવવાના નિર્ણય પર કેન્દ્ર સરકારનું સમર્થન કરશે.
જમ્મૂ-કાશ્મીરમાંથી 370 કલમ હટાવ્યા બાદ શું?
જમ્મૂ-કાશ્મીરમાંથી 370 કલમ હટી ગયા બાદ હવે અન્ય રાજ્યોની જેમ જમ્મૂ કશ્મીરમાં કેન્દ્રના કાયદા લાગૂ થશે.
સંઘ અને સમવર્તી યાદી હેઠળ આવનારા વિષયો પર કેન્દ્રનો કાયદો લાગૂ પડશે.
જેમાં નાગરિકતા, મિલકત અને મૌલિક અધિકાર કેન્દ્ર સરકારના અધિકારી ક્ષેત્રમાં આવી જશે.
કોઈ કાયદો બનાવતાં પહેલા રાજ્ય સરાકારની અનુમતી નહી લેવી પડે.
જમ્મૂ-કાશ્મીરમાં અન્ય રાજ્યના નાગરિકો જમીન ખરીદી શકશે.
રાજ્યના નાગરિકો પાસે હવે માત્ર ભારતની નાગરિકતા રહેશે.
જમ્મૂ-કાશ્મીરમાં અન્ય રાજ્યના નાગરિકો પણ સરકારી નોકરી મળશે.
જમ્મૂ-કાશ્મીર હવે દિલ્હી જેવું રાજ્ય બની જશે...