સોશિયલ મીડિયા પર ભડકાઉ નિવેદનો આપવા બદલ દિલ્હી પોલીસ એક્શન મોડ પર આવી છે. પોલીસે ઓવૈસી અને સ્વામી યતિ નરસિમ્હાનંદ સામે FIR નોંધી
ભડકાઉ નિવેદનો આપવા બદલ દિલ્હી પોલીસ એક્શન મોડ પર
દિલ્હી પોલીસે ઓવૈસી અને યતિ સામે નોંધી FIR
અત્યાર સુધીમાં દિલ્હી પોલીસે 11 પર કર્યો કેસ
સોશિયલ મીડિયા પર ભડકાઉ નિવેદનો અને નફરતના સંદેશાઓ ફેલાવવાના મામલામાં દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. દિલ્હી પોલીસના IFSO યુનિટે હવે અસદુદ્દીન ઓવૈસી અને સ્વામી યતિ નરસિમ્હાનંદ સામે પણ ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ FIR નોંધી છે. આ પહેલા દિલ્હી પોલીસના IFSO યુનિટે નુપુર શર્મા અને નવીન જિંદાલ સહિત 9 લોકો વિરુદ્ધ FIR નોંધી હતી.
AIMIM chief Asaduddin Owaisi named in FIR registered by the IFSO unit of Delhi Police over alleged inflammatory remarks yesterday. Swami Yati Narasimhananda's name also mentioned in the FIR. pic.twitter.com/8NpEKdQvI8
અસદુદ્દીન ઓવૈસી અને સ્વામી નરસિમ્હાનંદ કાર્યાવાહી કરાશે
દિલ્હી પોલીસના સૂત્રોનું માનીએ તો નફરતભર્યા નિવેદનોથી વાતાવરણ બગાડનારાઓ પર દિલ્હી પોલીસની કડકાઈ ચાલુ રહેશે. નૂપુર શર્મા અને નવીન જિંદાલ સહિત 9 લોકો પર કડક કાર્યવાહી બાદ AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી અને સ્વામી નરસિમ્હાનંદ પર સોશિયલ મીડિયા દ્વારા સમાજમાં નફરત ફેલાવવા, ખોટા અને અપ્રમાણિત સમાચાર ફેલાવવા, ધાર્મિક સંવાદિતાને ખલેલ પહોંચાડવા અને અન્ય ઘણી કલમોનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
Delhi Police IFSO unit has registered a case under various provisions against those who were allegedly spreading messages of hate, inciting various groups and creating situations which is detrimental for the maintenance of public tranquility (1/2)
દિલ્હી પોલીસે નૂપુર શર્મા સહિત 9 લોકો સામે ફરિયાદ નોધાઈ
આ પહેલા બુધવારે દિલ્હી પોલીસે કહ્યું હતું કે તેણે કેટલાક લોકો સામે કેસ નોંધ્યો છે જેઓ કથિત રીતે નફરત ફેલાવતા સંદેશાઓ ફેલાવી રહ્યા છે, જુદા જુદા જૂથોને ઉશ્કેરી રહ્યા છે અને શાંતિ અને વ્યવસ્થાને નુકસાન પહોંચાડે તેવી સ્થિતિ સર્જી રહ્યા છે. સ્પેશિયલ સેલના 'ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઑપરેશન' (IFSO) યુનિટ દ્વારા નોંધાયેલી FIRમાં નુપુર શર્મા અને નવીન કુમાર જિંદાલ સહિત નવ લોકોના નામ આપવામાં આવ્યા છે, એમ પોલીસે જણાવ્યું હતું. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, FIRમાં નૂપુર શર્મા, નવીન કુમાર જિંદાલ, શાદાબ ચૌહાણ, સબા નકવી, મૌલાના મુફ્તી નદીમ, અબ્દુલ રહેમાન, ગુલઝાર અંસારી, અનિલ કુમાર મીના અને પૂજા શકુનના નામ સામેલ છે. IFSCના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે FIR વિવિધ ધર્મના લોકો વિરુદ્ધ નોંધવામાં આવી છે.
વિવાદ શરૂ કેવી રીતે થયો
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં નૂપુર શર્માએ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં મળેલા કથિત શિવલિંગને લઈને ટીવી ડિબેટ દરમિયાન પયંગબર મોહમ્મદ વિરુદ્ધ કથિત રીતે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. નૂપુર શર્માના આ કથિત નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા હતા, જેના સંદર્ભમાં દિલ્હી પોલીસે કાર્યવાહી કરી છે. નૂપુર શર્માને તેના કથિત નિવેદનને કારણે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી અને દિલ્હી BJPના મીડિયા ઈન્ચાર્જ નવીન કુમાર જિંદાલને વિવાદાસ્પદ ટ્વિટ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. નૂપુર શર્માને પયંગબર મોહમ્મદ વિરુદ્ધના કથિત નિવેદન બાદ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી, જેની તેણે દિલ્હી પોલીસમાં ફરિયાદ કરી હતી. દિલ્હી પોલીસે કેસ નોંધીને નૂપુર શર્માને સુરક્ષા પૂરી પાડી હતી.