દિલ્હીના નરેલા વિસ્તારમાં ભીષણ આગ લાગી છે. શુઝ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગ્યા બાદ ત્રણ જેટલા સિલિન્ડર બ્લાસ્ટ થયા છે. જેના કારણે 3 કર્મચારીઓ ઘાયલ થયા છે. તો ફાયર બ્રિગેડની 22 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
આ પહેલાં પણ રવિવારની રાતે દિલ્હીના કિરાડીમાં કાપડના ગોડાઉનમાં આગ લાગી હતી. જેમાં લગભગ 9 લોકોના મોત થયા હતા. મળતી માહિતી અનુસાર ગોડાઉન 3 માળનું હતું અને ગ્રાઉન્ડ ફ્લોર પર હતું. આ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની પણ કોઈ વ્યવસ્થા ન હતી. ડીએફએસએ કહ્યું કે 10 લોકોને બચાવવામાં આવ્યા છે અને મૃતકોમાં 2 નાગરિકો અને 4 બાળકો સામેલ છે. આગ લાગવાના કારણોની પણ તપાસ ચાલી રહી છે.
દિલ્હીના શાલીમાર બાગમાં એક ઘરમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી ભયાનક હતી કે આખા ઘરને ઘેરી વળી હતી. શાલીમાર બાગ વિસ્તારમાં લાગેલા આગમાં 3 વૃદ્ધ મહિલાના મોત થયા છે તો 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોમાં બાળકો પણ સામેલ છે. ફાયરકર્મીઓએ 3 બાળકો સહિત 7 લોકોને ઘરની બહાર કાઢ્યા હતા. જેમાં 3 મહિલાના હોસ્પિટલમાં મોત થયા હતા. આગને બુઝાવવા માટે 9 ગાડીઓ પહોંચી હતી. ઘણા લાંબા સમય પછી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે.