કોરોના મહામારીના કારણે દિલ્હીમાં છેલ્લા 169 દિવસથી મેટ્રો સેવા બંધ છે. સોમવારે એટલે કે 7 સપ્ટેમ્બરથી આજથી દિલ્હીમાં ફરી એક વાર મેટ્રો સેવાની શરૂઆત થવા જઈ રહી છે. જો કે આ શરૂઆત ફક્ત યલો લાઈન (સમયપુર બાદલીથી હુડા સીટી સેન્ટર) પર શરૂ કરાશે. 5 દિવસ બાદ એટલે કે 12 સપ્ટેમ્બરથી અન્ય રૂટ પર પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેટ્રો સેવા ઓપરેટ કરાશે. મેટ્રો પરિસરમાં મુસાફરી કરવા માટે દરેક લોકો માટે સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને હેન્ડ સેનેટાઈઝેશન જેવી પ્રક્રિયાઓને ધ્યાનમાં રખાશે.
આજથી દિલ્હીમાં શરૂ થઈ મેટ્રો સેવા
યાત્રા માટે આ નિયમોનું પાલન રહેશે જરૂરી
169 દિવસ બાદ દિલ્હીમાં યલો લાઈન પર શરૂ થશે મેટ્રો સેવા
સોમવાર અને મંગળવારે 49 કિમીની યલો લાઈન પર મેટ્રો રેલ ચલાવાશે. આ રૂટ પર કુલ 37 સ્ટેશન છે. તેમાંથી 20 સ્ટેશન અંડર ગ્રાઉન્ડ છે જ્યારે 17 એલવેટિડ એટલે કે ઉંચાઈ પર છે. આ રૂટ પર મેટ્રો સવારે 7થી 11 સુધી અને સાંજે 4થી 8 વાગ્યા સુધી ચાલશે. એટલે કે સવારે 4 કલાક અને સાંજે 4 કલાક સુધી આ સેવાઓ ચાલુ રહેશે. મેટ્રો સ્ટેશન પર સુવ્યવસ્થા અને સોશ્યલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને યાત્રીઓની ભીડને નિયંત્રિત કરવા માટે ફક્ત 1 કે 2 એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ ખોલી શકાશે. આ માટે ડીએમઆરસીએ દરેક યાત્રીઓને પહેલાંથી જ www.delhimetrorail.com પર જઈને નક્કી ગેટ સંખ્યા ચેકક કરવા કહ્યું છે.
हरियाणा: दिल्ली मेट्रो रेल कॉर्पोरेशन की येलो लाइन (समयपुर बादली से हुड्डा सिटी सेंटर ) और रैपिड मेट्रो, गुरुग्राम पर आज सुबह 7 बजे से सेवाएं फिर से शुरू हुई। एक व्यक्ति ने बताया," मेट्रो शुरू होने से बहुत अच्छा लग रहा है।"
ડીએમઆરસીની તરફથી અન્ય કેટલીક જરૂરી વાતો કહેવામાં આવી છે. એટલે કે દરેક સ્ટેશનો પર રેગ્યુલર ફ્રંટલાઈન સ્ટાફ રહેશે અને સાથે જ 1000 વધુ અધિકારીઓ અને સ્ટાફની આ રૂટ પર વ્યવસ્થા રહેશે. જે લોકોને મેટ્રો પરિસરમાં એન્ટ્રી અને યાત્રાના નિયમો સમજાવશે. આ સાથે જ દરેક યાત્રીઓને અપીલ કરાઈ છે કે તે પણ સ્ટેશન પરિસરમાં કે મેટ્રોની અંદર દરેક ગાઈડલાઈનને ધ્યાનથી સાંભળે.
પહેલાંની સરખામણીએ હવે દિલ્હી મેટ્રોમાં યાત્રીઓની સંખ્યા 20 ટકા ઘટી છે. જેનાથી સોશ્યલ ડિસ્ટન્સિંગ જેવી ગાઈડલાઈનને સારી રીતે ફોલો કરી શકાશે. ા માટે યાત્રીઓને કેટલીક ખાસ સલાહ આપવામાં આવી છે.
કારણ વિના મેટ્રોમાં મુસાફરી ન કરો. આ સિવાય યાત્રા સમયે એકમેક સાથે વાતચીત પણ ન કરવા કહેવાયું છે.
દરેક યાત્રીઓને 15-30 મિનિટનો એક્સ્ટ્રા સમય લઈને યાત્રા કરવા કહેવાયું છે. તેનાથી તેઓ પોતાના સ્ટેશને સમયથી પહોંચી શકશે.
દરેક યાત્રીઓને પોતાના મોબાઈલ સેટ પર આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું કહેવાયું છે.
યાત્રીઓને સ્માર્ટ કાર્ડ લઈને યાત્રા કરવાનું કહેવાયું છે. સ્ટેશન પર ટોકન નહીં હોય અને કેશ ટ્રાન્ઝેક્શન પણ બંધ રખાયું છે.
લોકોને યાત્રા સમયે ઓછામાં ઓછો સામાન સાથે રાખવા કહેવાયું છે. સેનિટાઈઝર પોકેટ સાઈઝનું હોવું જોઈએ. સુરક્ષા કારણોને ધ્યાનમાં રાખીને પરિસરમાં 30 મીલી લિટરથી વધારે સેનેટાઈઝર લઈ જવાની પરમિશન નથી.