દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પંજાબમાં ચૂંટણી પહેલા મોટા વાયદાઓ કર્યા છે. સાથેજ તેમણે સમગ્ર મામલે પંજાબ સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા છે.
પંજાબમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના મોટા વાયદા
લોકોને મફત દવા અને મફત ઈલાજનો કર્યો વાયદો
મુખ્યમંત્રી ચન્ની પર કેજરીવાલે કર્યા આકરા પ્રહાર
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલા મોટું એલાન કર્યું છે. જેમા તેમણે સ્વાસ્થ્ય સેવાઓને લઈને 6 ગેરેન્ટી આપી છે. પંજાબમાં જો કેજરીવાલની સરકાર આવશે તો તેઓ જનતાને મફત ઈલાજ અને મફત દવાઓ આપશે.
મુખ્યમંત્રી કોણ બનશે તેનું ટૂંક સમયમાં એલાન કરશે
કેજરીવાલે સમગ્ર મામલે એલાન કર્યા બાદ પંજાબના મુખ્યમંત્રી ચન્ની અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે શું સિદ્ધુ આપમાં જોડાશે?, ત્યારે તેમણે આ સવાલનો જવાબ આપતા કહ્યું કે આ એક કાલ્પનીક સવાલ છે. પ્રેસકોન્ફરન્સમાં કેજરીવાલે કહ્યું કે તેઓ ખૂબ જલ્દી પંજાબમાં તેમની પાર્ટીનો સીએમ કોણ રહેશે તેનું એલાન પણ કરશે.
મુખ્યમંત્રી ચન્ની પર કર્યા આકરા પ્રહાર
સમગ્ર મામલે કેજરીવાલે પંજાબના મુખ્યમંત્રી ચન્ની પર આકરા પ્રહાર કર્યા હતા. જેમા તેમણે એવું કહ્યું હતું કે મારી નકલ કરવી સહેલી છે પરંતુ કામ કરવું ઘણું અઘરું છે. આપને જણાવી દઈએ કે પંજાબમાં વિધાનસભા ચૂંટણીને માત્ર 5 મહિના બાકી છે. ત્યારે આવા સમયે પંજાબના રાજકારણમાં બરાબરનો હડકંપ મચી ઉઠ્યો છે.
કઈ કઈ સુવીધા કેજરીવાલની સરાકર આપશે ?
પંજાબના દરેક વ્યક્તિને મફતમાં ઈલાજ આપવામાં આવશે
ટેસ્ટ અને દવાઓ પણ મફત અપાશે ,સાથેજ 20 લાખ સુધીનો ઓપરેશન પણ મફત કરાશે
દરેક વ્યક્તિને હેલ્થ કાર્ડ આપવામાં આવશે. જેના કારણે MRI અને એક્સરે રિપોર્ટ લોકો મફતમાં કાઢી શકશે.
પંજાબમાં કુલ 16 હજાર જેટલા ક્લીનક ખોલવામાં આવશે.
સરકારી હોસ્પિટલોનું નવિનીકરણ કરીને તેને વદારે સારી બનાવામાં આવશે
જો કોઈ રોડ અકસ્માતનો ભોગ બનશે તો તેને સરકાર મફતમાં ઈલાજ આપશે.
વિજળી બીલ મામલે આકરા પ્રહાર
આપને જણાવી દઈએ કે પંજાબના નવા મુખ્યમંત્રી ચન્નીએ પણ વીજળી બિલને માફ કરવાનું એલાન કર્યું છે. જે મામલે કેજરીવાલે કહ્યું કે મારી નકલ કરવી સરળ છે પરંતુ અમલ કરવો ઘણોજ મુશ્કેલ છે. સાથેજ તેમણે કહ્યું આ મુદ્દે સાહસ અને હિંમત હોવી જરૂરી છે. ઉપરાંત તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે દિલ્હીમાં આપની સરકાર બની ત્યારબાદ ત્યારે પંજાબમાં બેદરકારોને મંત્રી બનાવામાં આવી રહ્યા છે.