દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ની સામે કોંગ્રેસ અને ભાજપ જમીનદોસ્ત થઇ ગઇ છે. આમ આદમી પાર્ટીએ જ્યાં 62 બેઠકો પર જીત મેળવી છે, ત્યારે ભાજપ અંદાજિત 8 બેઠકો પર ફિંડળુ ગઇ છે. પ્રચંડ જીત બાદ પોતાની પાર્ટીના કાર્યકર્તાઓનો તેમણે આભાર માન્યો હતો.
દિલ્હીના મુખ્યમંત્રી તરીકે ત્રીજી વખત શપથ ગ્રહણ કરશે અરવિંદ કેજરીવાલ
નવા નિમાયેલા ધારાસભ્યોની સાથે બેઠક કરશે મુખ્યમંત્રી કેજરીવાલ
બેઠકમાં પાર્ટીનું ઉચ્ચ નેતૃત્વ પણ થશે સામેલ, ઉત્સાહમાં AAP
કોંગ્રેસ આ ચૂંટણીમાં 2015ની જેમ ખાતુ પણ ખોલવામાં સફળ ના રહી. હવે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બુધવારે નવા ધારાસભ્યો સાથે મુલાકાત કરશે. અરવિંદ કેજરીવાલે પોતાના નિવાસસ્થાને આ બેઠક બોલાવી છે.
ભાજપ 2015ની ચૂંટણીથી 5 બેઠક વધુ મેળવવામાં સફળ રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રિટર્નિંગ અધિકારીઓ પાસેથી એમએલએ સર્ટિફિકેટ મેળવી લીધા છે.
AAP ઉત્સાહમાં, મનાવ્યો જશ્ન
દિલ્હીમાં આમ આદમી પાર્ટીની જંગી બહુમતિ સાથે જીત થતાં જશ્નનો મહોલ છવાયો છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ જીતનો જશ્ન મનાવ્યો. ક્યાંક ઢોલના તાલે ઝુમી કાર્યકરોએ ઉજવણી કરી. તો ક્યાં મીઠાઇ વહેચી ઉજવણી કરી. દિલ્હી, મુંબઇ અને કેરળ સહિતના રાજ્યોમાં જીત બાદ આપના કાર્યકરો ગેલમાં આવી ગયા હતા અને ઢોલના તાલે નાચી જશ્ન મનાવ્યો હતો.