દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટી જીત મળી છે. ત્યારે AAPના ધારાસભ્ય નરેશ યાદવ મહરૌલીમાં જીતનુ સેલિબ્રેશન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના કાફલા પર મંગળવારે મોડી રાતે હુમલો થયો હતો. જેમાં એક કાર્યકર્તાનું મોત નિપજ્યું હતું. જ્યારે એક ઘાયલ થયો હતો. AAP સાંસદ સંજય સિંહે આ ઘટના અંગે ટ્વીટ કરી હતી.
મહરૌલી ધારાસભ્ય નરેશ યાદવના કાફલા પર હુમલો થયો હતો.
હુમલામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે એક ઘાયલ થયો હતો.
AAPના સાંસદ સંજય સિંહે આ ઘટના અંગે ટ્વીટ પણ કરી હતી
સંજય સિંહે ટ્વીટ કરી લખ્યું
સંજય સિંહે ટ્વીટમાં લખ્યું હતું કે મહરૌલીમાં ધારાસભ્ય નરેશ યાદવના કાફલા પર હુમલો થયો છે. સંજય સિંહે દાવો કર્યો હતો કે હુમલામાં અશોક નામના એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું
સંજયે મોડી રાતે કરેલી ટ્વીટમાં કહ્યું હતુ કે , ‘મહરૌલીના ધારાસભ્ય નરેશ યાદવના કાફલ પર હુમલો કરી અશોક માનની જાહેરમાં હત્યા. આ છે દિલ્હીમાં કાયદાનું રાજ. નરેશ મંદિર દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા. જોકે આ ઘટનાને પગલે પોલીસે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
Shots fired at AAP MLA@MLA_NareshYadav
and the volunteers accompanying him while they were on way back from temple.
At least one volunteer has passed away due to bullet wounds. Another is injured.
દિલ્હી પોલીસના જણાવ્યાનું સાર દિલ્હી કિશનગઢ ફોર્ટિજ ચોક પાસે AAPનાં ધારાસભ્ય નરેશના કાફલો પસાર થઈ રહ્યો હતો. તે સમયે કેટલાક હુમલાખોરોએ કાફલા પર હાજર બે લોકો પર ફાયરિંગ શરુ કરી દીધું હતું. આ ઘટનામાં એકનું મોત નિપજયુ હતું અને હરેન્દ્ર નામનો એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ઘટના સ્થળેછી 6-7 બુલેટના ખોખા મળ્યા હતા.
અચાનક 4 ગોળી ચાલી
નરેશે કહ્યું હતું કે આ હુમલો બહું દુઃખદ છે. હુમલા પાછળનું કારણ મને ખબર નથી. અચાનક 4 ગોળી ચાલી હું જે ગાડીમાં હતો તેના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં મદદ કરવા તૈયાર છું.
Delhi: Delhi: Shots fired at the convoy of Naresh Yadav, Aam Aadmi Party (AAP) MLA from Mehrauli on Aruna Asaf Ali Marg, last night. One party volunteer lost his life while another has been injured in the incident. pic.twitter.com/UREQkDVEkB
સૂત્રોનું માનવું છે કે આ બે ગેંગ વચ્ચેનું ગેંગવોર હતું. મંગળવારે હુમલામાં મરનાર અશોક પહેલા અન્ય ગ્રુપ પર ગોળી ચલાવી છુપાઈ ગયો હતો. આજે AAPનો વોલેન્ટિયર હોવાથી સેલિબ્રેશન માટે બહાર આવ્યો હતો.જેનો લાભ લઈ તેની પર હુમલો કરવામાં આવ્યો હતો.