સુપ્રીમ કોર્ટે ગુરુવારે દિલ્હી એનસીઆરમાં એર પોલ્યૂશનના વધતા સ્તરને લઈને 17 વર્ષીય વિદ્યાર્થી આદિત્ય દૂબેની અરજી પર સૂનવણી કરી. સુનવણી દરમિયાન કોર્ટે શહેરમાં વધતા પ્રદૂષણના સ્તરની વચ્ચે દિલ્હી સરકારના સ્કૂલ ખોલવાને લઈને લેવાયેલા નિર્ણય પર ઝાટકણી કાઢી. કોર્ટે સરકારને પૂછ્યું કે જ્યારે સરકારે વયસ્કો માટે વર્ક ફ્રોમ હોમ લાગૂ કર્યુ છે તો બાળકોને સ્કૂલે જવા માટે કેમ મજબૂર કરવામાં આવી રહ્યા છે?
3થી 4 વર્ષના બાળકો સ્કૂલે જઈ રહ્યા છે
સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ એનવી રમન્નાએ દિલ્હી સરકાર તરફથી હાજર વકીલ અભિષેક મનુ સિંઘવીને કહ્યું, દિલ્હી તરફથી કોણ હાજર થઈ રહ્યું છે? સિંધવી અમે તમારા નિવેદનોને ગંભીરતાથી લીધા છે. તમે અનેક દાવા કર્યા છે. તમે કહ્યું છે કે તમે સ્કૂલ બંધ કરી દીધા છે. પરંતુ તમામ સ્કૂલ બંધ નથી. 3થી 4 વર્ષના બાળકો સ્કૂલે જઈ રહ્યા છે.
જો તમે કંઈ નહીં કરો તો અમારે બંધ કરાવવું પડશે
કોર્ટે આગળ કહ્યું કે અમને લાગે છે કે વાયુ પ્રદૂષણના મુદ્દા પર કંઈ નથી થઈ રહ્યું. જ્યારે આનું સ્તર સતત ખરાબ થઈ રહ્યું છે. સીજેઆઈ રમન્નાએ કહ્યું કે જો તમે કંઈ નહીં કરો તો અમારે બંધ કરાવવું પડશે. જો તમે આદેશ ઈચ્છો છો તો અમે કોઈને નિયુક્ત કરી શકીએ છીએ.
સિંધવીએ કોર્ટને જણાવ્યું કે કાલે પણ એમ મંત્રી સેન્ટ્રલ વિસ્ટામાં ઉડતી ધૂળને જોઈ રહ્યા હતા. અમારી પાસે ઈચ્છાશક્તિ છે અને અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. આના પર જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે અમે વાસ્તવિક ધૂળ નિયંત્રણ ઈચ્છીએ છીએ. ફક્ત રિપોર્ટ નહીં.
અમે તમને(દિલ્હી સરકાર) 24 કલાકનો સમય આપી રહ્યા છીએ પ્રદૂષણનું સમાધાન કાઢો- કોર્ટ
દિલ્હીમાં વધતા પ્રદૂષણને લઇને સીજેઆઈએ કહ્યું કે અમે ઔદ્યોગિક અને વાહનોથી થનારા પ્રદૂષણને લઈને ગંભીર છે. તમે અમારા ખભા પર બંદૂક નહીં ચલાવી શકો. તમારે પગલા ભરવા પડશે. સ્કૂલ કેમ ખુલ્લા છે? અમારા પણ બાળકો અને ભાણિયા- ભાણેજ છે. અમે તમને 24 કલાકનો સમય આપી રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે તમે આના પર ગંભીરતાથી વિચાર કરો અને સમાધાન કાઢો.