દિલ્હીના અનાજ માર્કેટમાં વહેલી સવારથી જ આગ લાગી છે ત્યારે સવારથી લગભગ 11 વાગ્યા સુધીમાં 40થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને સાથે જ 50થી વધુ લોકોને રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયા છે. ઘટના સ્થળેથી મળતી માહિતી અનુસાર આગ લાગવાની જાણકારી મળી ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે બિલ્ડિંગમાં આગ લાગી છે. એમ ન હતું કહેવાયું કે ત્યાં લોકો પણ ફસાયા છે. અધૂરી માહિતી મળવાના કારણે લોકોને રેસ્ક્યૂ કરવામાં મુશ્કેલી પડી હતી.
અનાજ માર્કેટમાં લાગેલી આગમાં 43 લોકોના થયા મોત
સાંકડી ગલીઓ અને અધૂરી માહિતીના કારણે વધી મુશ્કેલી
બિલ્ડિંગમાં ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી ફેક્ટ્રીઓ
દિલ્હીના જે અનાજ માર્કેટમાં આગ લાગી હતી ત્યાંની ગલીઓ ખૂબ જ સાંકડી હતી. આસપાસમાં ક્યાંય પાણીની વ્યવસ્થા પણ ન હતી. જેના કારણે ફાયરબ્રિગેડની ગાડીઓને દૂર દૂરથી પાણી લાવવું પડી રહ્યું હતું. સ્થળ પર પહોંચેલા ફાયર ઓફિસરે કહ્યું કે જ્યારે આગની ઘટનાની જાણકારી મળી ત્યારે ફક્ત એટલું જ કહેવામાં આવ્યું હતું કે બિલ્ડિંગમાં આગ લાગી છે. એમ ન હતું કહેવાયું કે ત્યાં લોકો પણ ફસાયા છે. અધૂરી માહિતી મળવાના કારણે લોકોને રેસ્ક્યૂ કરવામાં મુશ્કેલી પડી હતી.
આ કારણે લાગી હતી આગ
મળતી માહિતી અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જેના કારણે આ ઘટનામાં 43 લોકોના જીવ ગયા અને સાથે અનેક પીડિતોની હાલત પણ નાજુક બની છે. ઉલ્લેખનીય છે કે જ્યારે આગની ઘટના બની ત્યારે કામદારો સૂતા હતા.
બચાઓ બચાઓની બૂમો પાડી રહ્યા હતા લોકો
600 સ્કેવયર ફીટના પ્લોટમાં આગ લાગી હતી. અહીં અંદર વહેલી સવાર હોવાના કારણે ખૂબ જ અંધારું હતું. અહીં એવી ફેક્ટ્રી છે જ્યાં સ્કૂલ બેગ, બોટલ અને અન્ય સામાન રાખવામાં આવે છે. રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે આ ફેક્ટ્રી ચાલી રહી હતી. જ્યારે ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચી તો બચાઓ બચાઓની બૂમો સાંભળવા મળી. જ્યારે બંધ દરવાજા ખોલવામાં આવ્યા તો કેટલાક લોકો બહાર આવ્યા. મૃત્યુ પામનાર લોકોમાં કેટલાક બેગુસરાય, સમસ્તીપુરના છે. કેટલાક ઉત્તરપ્રદેશના વિવિધ જિલ્લાના પણ છે.
Atul Garg, Chief Fire Officer, Delhi Fire Service on fire incident at Rani Jhansi Road: Till now we have rescued more than 50 people, most of them were affected due to smoke. https://t.co/grdMZeXvbjpic.twitter.com/Gm1sqHOt7R
ફાયરબ્રિગેડ તરફથી મળતી માહિતી અનુસાર તેમને ખ્યાલ ન હતો કે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ફસાયા છે. જો અમને ખ્યાલ હોત તો અમે વધારે તૈયારી સાથે પહોંચતા. હાલમાં 50થી વધુ લોકોને કાઢી શકાય છે અને અનેક લોકોના જીવ બચાવી પણ લેવામાં આવ્યા છે. જેમને કાઢવામાં મોડું થયું છે તેમના બચવાની આશા ઓછી છે, કારણકે ધુમાડો એટલો વધી ગયો હતો કે લોકોના જીવ ગભરાઈ જવાની શંકા વધારે છે.
ફેક્ટ્રી અને રહેણાંક વિસ્તાર એકસાથે
હકીકતમાં, જે બિલ્ડિંગમાં આગ લાગી હતી ત્યાં ફેક્ટરીની સાથે લોકોનો રહેણાંક વિસ્તાર પણ હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે બેકરી ગોડાઉન બિલ્ડિંગમાં ચાલતું હતું અને લોકો ત્યાં સૂતા પણ હતા. અહીં પેકેજિંગ પણ કરવામાં આવ્યું હતું. કારખાનાઓ એકબીજા સાથે જોડાયેલા હોવાથી આગ ઝડપથી ફેલાઇ હતી. વિસ્તારની ગલીઓ ખૂબ જ સાંકડી છે, તેથી એક સમયે ફક્ત એક જ વાહન અંદર જઈ શકે છે. આ કારણે રાહત કાર્ય પણ ઝડપથી હાથ ધરવામાં આવ્યું ન હતું. આ જ કારણ છે કે ધુમાડો ફેલાયો અને લોકો બેભાન થઈ ગયા.
આ ચાર હોસ્પિટલમાં ચાલી રહી છે ઈજાગ્રસ્તોની સારવાર
જે લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે તેમને એલએનજેપી, સફદરજંગ, હિન્દુ રાવ અને આરએમએલ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હોસ્પિટલોનો બર્ન વોર્ડ ઘટનાનો ભોગ બનેલા લોકોથી ભરેલો છે. તેમની સારવાર માટે અન્ય હોસ્પિટલોથી તબીબોને બોલાવાયા છે. ઘાયલોની સારવાર એલ.એન.જે.પી., સફદરજંગ સહિત ચાર હોસ્પિટલોમાં ચાલી રહી છે.
ચાર કલાકથી વધુ સમયથી ચાલી રહી છે બચાવ કામગીરી
દરમિયાન ઉત્તર દિલ્હીની ડીસીપી મોનિકા ભારદ્વાજ પણ ઘટના સ્થળે પહોંચી હતી. મકાન માલિકના ભાઈની ગેરકાયદેસર રીતે કારખાના ચલાવવા બદલ અટકાયત કરવામાં આવી છે. એમ્બ્યુલન્સના 70 વાહનો લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં વ્યસ્ત હતા. તે જ સમયે, આશરે 35 ફાયર બ્રિગેડની ટીમો રાહત કાર્યમાં લાગી ગઈ હતી. ચાર કલાકથી વધુ સમયથી રાહત કામગીરી ચાલી રહી છે.