રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે સિયાચિન ગ્લેશિયર અને શ્રીનગર મુલાકાતે જઇ રહ્યા છે. આ દરમિયાન તે જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદ નિયંત્રણ અભિયાન અંગે જાણકારી મેળવી પાકિસ્તાન સાથેની સીમાઓ પર સુરક્ષા તૈયારીઓ વિશે જાણકારી મેળવશે. કેન્દ્રમાં બીજીવાર મોદી સરકારના શપથ ગ્રહણ બાદ રક્ષા મંત્રી રાજનાથ પહેલીવાર સત્તાવાર રીતે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે.
નવા રક્ષા મંત્રીની પહેલી મુલાકાત
રાજનાથ સિંહ રક્ષા મંત્રાલયનું પદ સંભાળ્યા બાદ પહેલી સત્તાવાર મુલાકાત સિયાચિન ગ્લેશિયરની લેશે. જેને દુનિયાના સૌથી ખતરનાક યુદ્ધ ક્ષેત્ર કહેવામાં આવે છે. અહીં ફીલ્ડ કમાન્ડરો અને જવાનો સાથે વાતચીત કરશે. રક્ષા મંત્રી સાથે સેના પ્રમુખ જનરલ વિપિન રાવત પણ હશે.
Leaving New Delhi for Ladakh on a day long visit to Jammu and Kashmir. Looking forward to interact with the troops in Siachen.
Later in the day, I would be meeting the Indian Army personnel in Srinagar.
સત્તાવાર સૂત્રોએ રવિવારે જણાવ્યું કે, રાજનાથ સિંહ સિયાચિનથી શ્રી નગર જશે જ્યાં ઉત્તરી સૈન્ય કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ રણબીર સિંહ અને લેહ સ્થિત 14 કોરના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ વાઇ કે જોશી એમને પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સીમા પર સુરક્ષા સ્થિતિ વિશે તથા આતંકવાદ વિરોધી અભિયાન વિશે જાણકારી આપશે.
સૈનિકોની લેશે મુલાકાત
સૂત્રો બતાવી રહ્યા છે કે, રાજનાથ સિંહ સૌથી પહેલા સવારે લદ્દાખમાં ઉચાઇ પર સ્થિત થોઇસ હવાઇ એરપોર્ટ પર પહોંચશે જ્યાંથી તે કુમાર પોસ્ટ જશે. બાદમાં રક્ષા મંત્રી સિયાચિન ગ્લેશિયર જશે. ત્યાં સેનાના ફીલ્ડ કમાન્ડરો અને સૈનિકો સાથે વાતચીત કરશે. રક્ષામંત્રી સિયાચિન યુદ્ધ સ્મારક પર પુષ્પ પણ ચઢાવશે.