દશેરાનો તહેવાર પર ખરાબ પર સારાઇની જીત થાય છે અને ભગવાન રામ દ્વારા રાવણ વધ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રંસગે દેશભરની જાણીતી હસ્તીઓ દશેરાની ખાસ રીતે ઉજવણી કરે છે, આ સાથે જ ભારતીય સેનાની ત્રણે પાંખ આ પરંપરા નિભાવે છે.
આ વર્ષે દશેરા અને વાયુસેના દિવસ એક જ દિવસે છે
શસ્ત્ર પૂજાની પરંપરા યથાવત્ રાખશે રક્ષામંત્રી
રક્ષા મંત્રી રાજનાથસિંહ દર વર્ષે દશેરાના દિવસે શસ્ત્રપૂજા કરતા હોય છે.આ વખતે તેઓ રાફેલ વિમાનની ડિલિવરી લેવા માટે દશેરાના દિવસે ફ્રાન્સમાં હશે.જોકે એવા અહેવાલ મળ્યા છે કે, આ વખતે રાજનાથસિંહ દશેરાના દિવસે ફ્રાન્સમાં શસ્ત્રપૂજા કરશે.જેમાં રાફેલ પણ સામેલ હશે. ગત વર્ષે રાજનાથ સિંહે BSF ના જવાનોની સાથે બીકાનેરમાં શસ્ત્ર પૂજા કરી હતી.
રાજનાથસિંહ ગૃહ મંત્રી હતા ત્યારે પણ શસ્ત્ર પૂજા કરતા હતા. ગયા વર્ષે રાજનાથસિંહે બિકાનેરમાં BSFના જવાનો સાથે દશેરાની ઉજવણી કરી હતી.શસ્ત્ર પૂજામાં પણ ભાગ લીધો હતો.
Rajasthan: Home Minister Rajnath Singh performs ‘Shastra Puja’ at BSF Sector Headquarters in Bikaner on #Dussehra. pic.twitter.com/wQtIXdJq9B
8 ઓક્ટોબરે ફ્રાન્સમાં રાજનાથસિંહ રાફેલમાં ઉડાન ભરશે. 8 ઓક્ટોબરે વાયુસેના દિવસ પણ છે. રાજનાથસિંહ ભારત વતી પહેલુ રાફેલ વિમાન રિસીવ કરશે.તેમની સાથે વાયુસેનાના બીજા અધિકારીઓ પણ હશે.9 ઓક્ટોબરે તેઓ પેરિસમાં ફ્રાન્સના મંત્રીઓ અને અધિકારીઓ સાથે મુલાકાત કરશે.રાફેલ જેટને ભારતની જરુરિયાત મુજબ તૈયાર કરાયુ છે.
રાફેલ ઉડાવવા માટે વાયુસેનાના કેટલાક પાયલોટોને ટ્રેનિંગ અપાઈ ચુકી છે.બીજા 24 પાયલોટોને પણ તાલીમ અપાશે. જે 2020 મે સુધી ચાલશે.એ પછી રાફેલની પહેલી બેચ 2020માં ભારતીય વાયુસેનામાં સામેલ થવા ભારત આવી પહોંચશે.
36 રાફેલ વિમાનોને લઇને ડીલ થઇ છે સાઇન:
વાયુસેના ચીફ આર કે ભદોરિયા પહેલા પણ કહી ચુક્યા છે કે, રાફેલ વિમાન ભારત માટે ગેમ ચેન્જર સાબિત થશે.ભારતે ફ્રાન્સ પાસે 36 વિમાનોની ડીલ સાઈન કરેલી છે.