બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાત બુલબુલનો રવિવારના રોજ પડોશી દેશ બાંગ્લાદેશમાં કહેર જોવા મળ્યો હતો. દરિયાઇ તોફાનના કારણે બાંગ્લાદેશના વિશાળ દરિયાકાંઠા વિસ્તારમાં લાખો લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યાં.
લોકોને દરિયાકાંઠે જવા પર મનાઇ ફરમાવામાં આવી
120-130 કીમી પ્રતિ કલાકની ઝડપથી ફુંકાઇ રહ્યો છે પવન
દરિયામાં ઉંચા મોજાં ઉછળવાની હતી શક્યતા
ચક્રવાત બુલબુલના કારણે 120-130 કીમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાયો હતો. જો કે તટ સુધી પહોંચવામાં ચક્રવાતનું જોર ઘટવાની શક્યતા હતી. બુલબુલ વાવાઝોડાએ બાંગ્લાદેશમાં સાગર દ્વીપની નજીક ટકરાયું અને તેના માર્ગમાં દક્ષિણ-પશ્ચિમી ખુલના ક્ષેત્ર સામેલ હતો. જેમાં દુનિયાનો સૌથી મોટ મેંગ્રોવ વન, સુદરવન છે જે ભારત-બાંગ્લાદેશની સરહદ પર આવેલ છે.
ભારતમાં પણ જોવા મળી બુલબુલ વાવાઝોડાની અસર
દક્ષિણ પરગના અને કોલકાતામાં વરસાદ રોકાઇ ગયો પરંતુ તેજ પવનના કારણે નુકસાનની ભીતિ જોવા મળી છે. આ વિસ્તારોમાં 100 કિમી પ્રતિ કલાકથી હવા ચાલી છે.
બાંગ્લાદેશમાં બુલબુલ તોફાનના કારણે 10 લોકોનાં મોત
પશ્ચિમ બંગાળ બાદ 'બુલબુલ' વાવાઝોડાનો કહેર બાંગ્લાદેશમાં જોવા મળ્યો હતો. જ્યાં વાવાઝોડાના કારણે બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. 21 લાખ લોકોને સુરક્ષિત જગ્યા ખસેડવામાં આવ્યાં.
બાંગ્લાદેશમાં ચક્રવાતના કારણે લાખો લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યાં છે. આપદા મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે શરૂઆતમાં 5000 આશ્રયગૃહમાં 14 લાખ લોકોને રાખવાની યોજના હતી જો કે શનિવાર મોડી રાત સુધીમાં આ સંખ્યા વધીને 21 લાખ થઇ ગઇ હતી.