ચાની ચૂસકી કેટલાક લોકોને એટલી બધી વ્હાલી હોય છે કે તે લોકો દિવસબહાર ઘણી બધી ચા પિતા હોય છે. કેટલાક લોકો તો એવા પણ હોય છે જે ઊંઘમાંથી ઉઠી તરત જ બેડ પર જ ચા મંગાવી લે છે.
ચા સાથે ચણાના લોટમાંથી બનેલ પદાર્થોથી થાય છે નુકશાન
ચા સાથે ના કરો લીંબુના રસનું સેવન
ઠંડો પદાર્થ પણ ચા સાથે ના લેવો જોઈએ
ચાની ચૂસકી કેટલાક લોકોને એટલી બધી વ્હાલી હોય છે કે તે લોકો દિવસબહાર ઘણી બધી ચા પિતા હોય છે. કેટલાક લોકો તો એવા પણ હોય છે જે ઊંઘમાંથી ઉઠી તરત જ બેડ પર જ ચા મંગાવી લે છે. જો આવા લોકોને સમયસર ચા ના મળે તો તેમના માથામાં દુખાવો થઈ જાય છે. આનથી વધુ માં અમુક લોકોનો ચા પીવાનો સમય પણ એકદમ નક્કી હોય છે. પણ શું તમને ખબર છે કે ભૂખ્યા પેટે ચા પીવાથી તમને એસિડિટી થઈ શકે છે. આ સાથે જ તમારે એ જાણવું પણ જરૂરી છે કે ચા સાથે અમુક ખાદ્યપદાર્થો ખાવાથી તમારી હેલ્થને ઘણું નુક્શાન થાય છે.
ચા સાથે ચણાના લોટમાંથી બનેલ પદાર્થોથી થાય છે નુકશાન
ચણાના લોટમાંથી બનાવેલ પદાર્થો ચા સાથે ના લેવા જોઈએ. કારણકે ચા સાથે ચણાના લોટ માંથી બનેલ પદાર્થો ખાવાથી શરીરમાં પોષક તત્વોની અછત થાય છે. એટલે જો તમારે ચા સાથે આ પકોડા, ભજીયા કે પછી ચણાના લોટ માંથી બેનલ બીજી કોઈ વસ્તુ ખાવાની આદત કે શોખ હોય તો તે બદલી નાખજો.
ચા સાથે ના કરો લીંબુના રસનું સેવન
કેટલીક વાર આપણે એવી વસ્તુઓ ખાઈએ છીએ જેમાં ઉપરથી લીંબુનો રસ નાખ્યો હોય. પણ આ પદાર્થો સાથે ક્યારેય ચા પીવાનું ના રાખો. જો તમે આવું કરતાં હોવ તો હવે આગળથી ધ્યાન રાખો. કારણકે આ ચા અને લીંબુના એકસાથે સેવનથી ગેસ અને ડાઈઝેશન સંબંધી બીમારીઓ થાય છે.
ઠંડો પદાર્થ પણ ચા સાથે ના લેવો જોઈએ
ચા નો ગુણધર્મ ગરમ હોય છે. એવામાં હંમેશા ધ્યાન રાખવું કે ચા સાથે ક્યારેય પણ ઠંડા પદાર્થનું સેવન ના કરવું. આવું કરવાથી પાચન તંત્ર પર ખૂબ જ ગંભીર અસર થાય છે. જો તમારે કોઈ ઠંડો પદાર્થ ખાવો પણ છે તો ઓછામાં ઓછા બે કે ત્રણ કલાકનો ગેપ રાખવો જોઈએ.