દહેગામમાં નણંદના એક વેણથી મનમાં લાગી આવતાં સગી માતાએ 4 વર્ષની અને 6 માસની 2 માસૂમ પુત્રીને નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી. આ અંગે પતિએ પુત્રીને કેનાલમાં ફેંકી દેનાર પત્ની વિરુદ્ધ દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી માતાની ધરપકડ કરી છે. ક્રૂર જનેતા સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બે દીકરીઓને કેનાલમાં ફેંકી
નણંદના ટોણાનું ખોટુ લાગ્યું
2 પુત્રી સાથે ઘરેથી નીકળ્યા હતા
આધારભૂત સૂત્રોના જણાવ્યાનુસાર દહેગામ તાલુકાના આંત્રોલી ગામે રહેતા સિદ્ધરાજ સિંહ રંગતસિંહ સોલંકીના લગ્ન વર્ષ 2014માં તાલુકાના હાલીસા ગામે રહેતા કલસિંહ છનસિંહની પુત્રી શિલ્પાબેન સાથે થયા હતા. લગ્ન જીવનના પરિપાકરૂપે સંતાનમાં 4 વર્ષની પુત્રી ઉર્વશી અને 6 માસની પુત્રી શ્રદ્ધાનો જન્મ થયો હતો. થોડા દિવસ પહેલા શિલ્દીપાબેનની દીકરીઓના અપહરણની ફરિયાદ થઈ હતી.
કેવી રીતે પોલીસને ખબર પડી?
સિદ્ધરાજસિંહ સહિતના લોકો કેનાલ પાસે પહોંચ્યા ત્યારે નજીકમાં આવેલા ગલ્લા પરથી એક વ્યક્તિએ આવી શિલ્પાબેનના સામે જોઈ આ સ્ત્રીએ 2 નાના બાળકોને કેનાલમાં નાખ્યાનું જણાવ્યું હતું. જેને પગલે પતિએ કડકાઈથી વાત કરતાં પત્નીએ નણંદ સાથે ઝઘડા બાદ છોકરીઓને મારી નાખવાનું નક્કી કરી ઘરેથી ગુસ્સો કરી નીકળી હોવાની કબૂલ્યું હતું. ઘટનાની જાણ દહેગામ પોલીસે શિલ્પાબેનને પોલીસ મથકે લઇ આવી હતી.
2 પુત્રી સાથે ઘરેથી નીકળ્યા હતા
રવિવારે શિલ્પાબેન તેમની સાસરીમાં હતા તે સમયે પ્લાસ્ટિકના સામે ચવાણું વેચવા માટે એક વ્યક્તિ આવ્યો હતો. તેથી તેમની દીકરીએ ચવાણું ખાવા રોકકળ કરી હતી. આ સમયે શિલ્પાબેને તેમના નણંદ સરોજબેનને કહ્યું કે, આપણા ઘર ઉપર જૂનું પ્લાસ્ટિક છે તે ઉતારી આપો મારી છોકરીને ચવાણું ખાવું છે. જેથી સરોજબેને શિલ્પાબેન ને કહ્યું કે ‘વસ્તાર તારો છે તમે ચિંતા કરો, અમે અમારા બાપનું ખાઈએ છે.’ ત્યારબાદ શિલ્પાબેન સાસુને બ્લાઉઝ સિવડાવવા જવાનું કહીં 2 પુત્રી સાથે ઘરેથી નીકળ્યા હતા.