અમદાવાદમાં જો વાવની વાત કરીએ તો અમદાવાદથી થોડે દૂર આવેલ અડાલજની વાવની યાદ આવે પરંતુ બહુ ઓછા લોકો 'દાદા હરિહર વાવ'થી પરિચિત હશે. અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલી 'દાદા હરિહર વાવ' એટલે કે 'વાડજની વાવ' ભલે પાંચ વર્ષ પહેલા જ રિનોવેટ કરવામાં આવી હોય પણ તેને રિનોવેટ કર્યા બાદ પૂરતી માવજત લેવાતી નથી. આ વાવની પુરતી માવજત લેવાતી હોયતો અમદાવાદીઓ માટે આ વાવ પણ જોવા લાયક સ્થળ બની શકે તેમ છે. જોકે હાલતો આ વાવના ગેટ પર કપડા સુકવવામાં આવી રહ્યા છે.
અંદાજીત 200 વર્ષ જુની પૌરાણીક વાવ છે
મરાઠા કાળની વાવ હોવાનું મનાય છે
દારુડીયાઓ દેશીદારુ પીધા પછી પોટલી આ દરવાજા પાસે ફેકી દે છે
અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલી મહેસાણા સોસાયટી પાસે અંદાજીત 200 વર્ષ જુની પૌરાણીક વાવ આવેલી છે. આ વાવ દાદા હરિહર વાવ તરીકે ઓળખાતી હતી. આજે આ વાવ વાડજની વાવ તરીકે ઓળખાય છે. આ વાવ કોણે બનાવી ક્યારે બનાવી તેનો કોઇ ઇતિહાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે નથી તેમ છંતાય આ વાવને પૌરાણીક વાવનો દરરજો આપવામાં આવ્યો છે. પાંચ વર્ષ પહેલા આ વાવને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીનિવોટ કરવામાં આવી હતી.
દારુડીયાઓ દેશીદારુ પીધા પછી પોટલી આ દરવાજા પાસે ફેકી દે છે
વાડજ વિસ્તારમાં રહેતા રહીશોને પણ મહેસાણા સોસાયટીની પાસે પૌરાણીક વાવ આવી હોવાની જાણકારી નથી ત્યારે બીજી તરફ કોઇપણ ટુરીસ્ટ કે પછી અમદાવાદીઓને વાવની મુલાકાત લેવી પણ મુશ્કેલ છે. વાવનો મુખ્ય દરવાજો પણ ધણ વર્ષોથી બંધ છે. મુખ્ય દરવાજા પાસે સ્થાનિકો પેશાબ કરવા માટે આવે છે ત્યારે દારુડીયાઓ દેશીદારુ પીધા પછી પોટલી આ દરવાજા પાસે ફેકી દે છે.
મરાઠા કાળની વાવ હોવાનું મનાય છે
વાવના પ્રવેશદ્વાર પર સંસ્કૃતમાં શિલાલેખ આ વાવ કોણે બંધાવી હતી તેની હાલ કોઈ વિગત પ્રાપ્ત નથી. આ વાવના દ્વારમાં પ્રવેશતા ડાબી બાજુ પર સંસ્કૃત ભાષામાં શિલાલેખ જોવા મળે છે. આ વાવ ત્રણ માળ જેટલી ઊંડી છે. આ વાવ મરાઠા કાળની હોવાનું મનાય છે કાલુપુર ખજુરીની પોળના શેઠ ચુનીલાલ નગીનદાસ ચીનાઈ અને શેઠ ભોગીલાલ નગીનદાસ ચીનાઈ દ્વારા આ વાવનું સમારકામ કરાવવામાં આવ્યુ હતું. તેમના દ્વારા કરાવવામાં આવેલ સમારકામ બાદ આ વાવ કોણે બંધાવી હતી, તેની હાલ કોઈ વિગત પ્રાપ્ત નથી.