અમદાવાદમાં પણ સાયક્લોન મહાની અસર જોવા મળી રહી છે ગઈ કાલ રાતથી જ શહેરમાં વરસાદી માહોલ બંધાઈ ગયો હતો અને વરસાદ શરૂ થઈ ગયો હતો. વાવાઝોડાને પગલે ધોલેરામાં સાયક્લોન સેન્ટર ઉભુ કરવામાં આવ્યુ છે અને અમદાવાદ જિલ્લામાં હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.
સામાન્ય નાગરિકો માટે જાહેર કરાઈ ગાઈડલાઈન
ઇમરજન્સીમાં મદદ માટે જાહેર કરાયેલા હેલ્પલાઇન નંબર
અમદાવાદમાં પણ સાયક્લોન મહાની અસર
તકેદારીના ભાગરૂપે વાસણા બેરેજમાં પાણીનું લેવલ 137 ફૂટ રાખવામાં આવ્યું છે. ડેમના અધિકારીઓને પણ સતર્ક રહેવા તેમજ ભારે વરસાદની સ્થિતિમાં પાણીની સપાટી પર નજર રાખવાની સુચના અપાઇ છે.
ધોલેરામાં સાયક્લોન સેન્ટર ઉભું કરવામાં આવ્યું
આ તાલુકાના 18 ગામોને એલર્ટ કરી દેવાયા છે. એમ્બ્યુલન્સ, ફાયર, ટ્રાન્સપોર્ટ સહિતની સેવાઓને ખડેપગે રહેવાના આદેશ અપાયા છે. જિલ્લામાં કુલ ૨૩ ઉચ્ચ અધિકારીઓને ખડેપગે રહેવાની સુચના આપીને તેઓને વિવિધ જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે.
ઇમરજન્સીમાં મદદ માટે જાહેર કરાયેલા હેલ્પલાઇન નંબર
સામાન્ય નાગરિકો માટે જાહેર કરાઈ ગાઈડલાઈન
વાવાઝોડાથી ન ગભરાવવું.
વરસાદ-ભારે પવન ફૂંકાવાની સ્થિતિમાં ઘરની બહાર ન નીકળવું
કાચા માટીના મકાનો જોખમ લાગે ત્યારે તાત્કાલિક તેને ખાલી કરી દેવું
કોઇપણ ઇમરજન્સીની સ્થિતિમાં જિલ્લા વહિવટીતંત્રનો સંપર્ક કરવા અપીલ કરો
18 ગામોમાં 15 હજાર લોકોને સચેત રહેવા તાકિદ
ધોલેરા તાલુકાના 18 ગામોમાં આશરે 15 હજાર જેટલા લોકોને સચેત રહેવાની તાકિદ કરવાની સાથે આપદાની સ્થિતિમાં એકસામટા 3000 લોકોને રાખી શકાય તેવી વ્યવસ્થાને પણ આજે બુધવારે અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો હતો. જિલ્લા-તાલુકા કક્ષાએ હેલ્પલાઇન નંબર જાહેર કરીને લોકોને કોઇપણ સ્થિતિમાં મદદ માટે કોલ કરવા અપીલ કરવામાં આવી છે.
ફૂડપેકેટ સહિતની તૈયારીઓ
અસરગ્રસ્તોને રહેવા, ફૂડ પેકેટની જરૂરીયાતોને પહોંચી વળવા માટે જિલ્લા નાગરિક પુરવઠા વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે બેઠક યોજાઇ હતી. બેકઅપ સુવિધા માટે અમદાવાદ મ્યુનિ.તંત્ર અને ડેલ્ટા સ્કવોર્ડ પોલીસ તંત્રની પણ મદદ લેવામા આવશે.