રાજ્યમાં 'ક્યાર' વાવાઝોડાનો ખતરો ટળ્યો છે, જોકે હજુ પણ રાજ્યમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદ આવે તેવી શક્યતા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ આવે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે 1લી નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે.
રાજ્યમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદની આગાહી
`ક્યાર' વાવાઝોડાથી ભારે પવન ફૂંકાવાની શક્યતા
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પડી શકે છે વરસાદ
વાવાઝોડાનો ખતરો ટળ્યો પણ જોવા મળી શકે છે અસર
રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં 'કહેર' વાવાઝોડાની અસરના કારણે આગામી ત્રણ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે નવેમ્બરના પ્રથમ સપ્તાહથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે.
સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા
રાજ્યમાં 'કયાર' વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે પરંતુ તેની અસર કેટલાક વિસ્તારમાં જોવા મળી શકે છે. જેને લઇને અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, દ્વારકા અને કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતા છે. 'કયાર' વાવઝોડાથી દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.
બંદરો પર લગાવાયું 2 નંબરનું સિગ્નલ
રાજ્યપરથી 'કયાર' વાવાઝોડાનો ખતરો હાલમાં ટળી ગયો છે જો કે સાવચેતીના પગલે હજી પણ સૌરાષ્ટ્રના અનેક બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ક્યાર વાવાઝોડાથી ભારે પવન ફૂંકાવવાના કારણે વેરાવળ, પોરબંદર, અમરેલીના બંદરો પર 2 નંબરનું સિગ્નલ અપાયું છે.