પોલીસ સ્ટેશનમાં આરોપી પર થતા કસ્ટોિડયલ ટોર્ચરને અટકાવવા માટે હાઇકોર્ટના આદેશ બાદ તમામ પોલીસ સ્ટેશનને સીસીટીવી કેમેરાથી સજ્જ કરી દેવામાં આવ્યાં છે તેમ છતાંય હજુ કસ્ટોિડયલ ટોર્ચરની ઘટનાઓ બની રહી છે. તાજેતરમાં સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચોરીના કેસમાં સંડોવાયેલા એક આરોપીને કસ્ટડીમાં ઢોર માર માર્યા બાદ થયેલા મોતના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે.
અમદાવાદ સહિત રાજ્યનાં તમામ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓને તેમની આગવી સ્ટાઇલમાં કડકાઇથી પૂછપરછ આરોપીઓની કરવી હોય તો હવે પીઆઇની ચેમ્બર, સર્વેલન્સ સ્કવોડની ઓફિસ અથવા તો નજીકની પોલીસચોકીમાં લઇ જાય છે. પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા તો લગાવી દીધા છે, પરંતુ પીઆઇની ચેમ્બર તેમજ સર્વેલન્સ સ્કવોડની ઓફિસમાં સીસીટીવી કેમેરા નથી.
અમદાવાદનાં ૪૮ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાંચમાં હાઇકોર્ટના આદેશ બાદ સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ પીઆઇ અને સર્વેલન્સ સ્કવોડની ઓફિસમાં સીસીટીવી કેમેરા નથી, જ્યાં સૌથી વધુ આરોપીની પોલીસ તેમની સ્ટાઇલમાં કડકાઇથી પૂછપરછ કરે છે. હાઇકોર્ટે આદેશ કર્યો હતો કે દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે, પરંતુ વાસણા અને એરપોર્ટ પોલીસ સ્ટેશન જ્યારથી કાર્યરત થયાં ત્યારથી કેમેરા લગાવવામાં આવ્યા નથી.
પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં થતી હિંસાને અટકાવવા માટે રાજ્યનાં તમામ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવવાની માગણી સાથે વર્ષ ર૦૧રમાં ગુજરાત હાઇકોર્ટમાં પીઆઇએલ કરવામાં આવી હતી, જેમાં હાઇકોર્ટે મોટાં પોલીસ સ્ટેશનમાં ૧પ અને નાનાં પોલીસ સ્ટેશનમાં ૮ કેમેરા લગાવવા માટેનો આદેશ પોલીસના પ્લાિનંગ અને મોડર્નાઇઝેશન વિભાગને આપ્યો હતો.
હાઇકોર્ટના આદેશ બાદ પ્લાનિંગ અને મોડર્નાઇઝેશન વિભાગે રાજ્યનાં ૬૦૦ કરતાં વધુ પોલીસ સ્ટેશનમાં ચાર-ચાર કેમેરા લગાવ્યા હતા, જેને લઇ વર્ષ ર૦૧૪ અને ર૦૧૬માં હાઇકોર્ટમાં વધુ એક વખત કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટના આદેશની અવગણના કરનાર પ્લાિનંગ અને મોડર્નાઇઝેશનના ડીઆઇજી વી.કે. મલ્લ અને આર.આર. ભગતે કોર્ટની માફી પણ માગી હતી અને ત્યારબાદ તમામ પોલીસ સ્ટેશનને સીસીટીવી કેમેરાથી સજ્જ કરી દેવામાં આવ્યાં હતાં. રાજ્યમાં ૧ર૦ કરોડ રૂપિયાના ખર્ચે મોટા ભાગનાં પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે.
પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે તેમ છતાંય કસ્ટોિડયલ ડેથ, કસ્ટોિડયલ ટોર્ચરની અનેક ઘટના પ્રકાશમાં આવી છે. તાજેતરમાં સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાની કબૂલાત કરાવવા ત્રણ આરોપીઓને પીઆઇ એમ.બી. ખીલેરી, પીએસઆઇ સી.પી. ચૌધરી સહિતના પોલીસ કર્મચારીઓ દ્વારા બેરહેમીથી ફ્ટકારાયા હતા, જેમાં ઓમપ્રકાશ પાંડેનું કરુણ મોત નીપજ્યું હતું.
આથી પીઆઇ ખીલેરી સહિતના પોલીસ કર્મચારીઓ વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ થયો છે ત્યારે આઠેક મહિના પહેલાં ૩પ વર્ષના સૌરભ ઝાલાને અઢી કરોડ રૂપિયાના સોનાની ચોરીના કેસમાં અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે બોપલમાં ઢોરમાર માર્યો હતો, જેમાં તેનું મોત થયું હતું. આ ઘટનામાં પીએસઆઇ એન.એ. રામ્ય સહિતના ત્રણ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ થયો હતો ત્યારે મણિનગર પોલીસ સ્ટેશનમાં વિવેક રાણાનું કસ્ટડીમાં મોત થયું હતું, જેમાં એસીપી રીમા મુનશી, પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ચાર લોકો વિરુદ્ધમાં ક્રાઇમ બ્રાંચમાં હત્યાનો ગુનો દાખલ થયો હતો.
એપ્રિલ મહિનામાં દાણીલીમડા વિસ્તારમાં રહેતા એક બિલ્ડર અને તેના મિત્રને દાણીલીમડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસ કર્મચારીઓએ ડી-સ્ટાફની ઓફિસમાં ઊંધા લટકાવીને દંડા તેમજ પટ્ટા વડે માર માર્યો હોવાની ફરિયાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ થઇ હતી. ડિસેમ્બર-ર૦૧૮માં વટવા પોલીસ સ્ટેશનમાં જુગારના એક કેસમાં ધરપકડ કરીને લાવેલા સમસુદ્દીન શેખનું કસ્ટડીમાં ભેદી રીતે મોત થતાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં ચકચાર મચી હતી, જોકે તેનું મોત હાર્ટએટેકથી થયું હોવાનું સામે આવ્યું હતું.
કસ્ટોિડયલ ટોર્ચર થયાં હોવાની અનેક પૂછપરછ ઉચ્ચ અધિકારીઓ તેમજ કોર્ટમાં થાય છે, જેના કારણે હાઇકોર્ટે પોલીસ દ્વારા આરોપીઓને થતા કસ્ટોિડયલ ટોર્ચરને રોકવા માટે સીસીટીવી કેમેરા લગાવવાના આદેશ કર્યા હતા. હાઇકોર્ટના આદેશ બાદ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ કસ્ટોિડયલ ટોર્ચર પોલીસ દ્વારા ચાલુ છે. હાઇકોર્ટે આરોપીઓની પૂછપરછ થાય તેવી જગ્યાએ સીસીટીવી લગાવવાના આદેશ કર્યા હતા.
સાથોસાથ એક મહિનાનું રેકોર્ડિંગ અને વીડિયોનું બેકઅપ રાખવાનો પણ આદેશ કર્યો હતો તેમજ તમામ આરોપીઓનું ઇન્ટરોગેશન રેકોિર્ડંગ પણ ફરિજયાત રાખવાનો આદેશ કર્યો હતો. શહેરનાં પોલીસ સ્ટેશનમાં પીઆઇની ચેમ્બર તેમજ સર્વેલન્સ સ્કવોડની ઓફિસમાં સીસીટીવી કેમેરા નથી, જ્યાં સૌથી વધુ આરોપીની પૂછપરછ થાય છે. હાઇકોર્ટમાં પિટિશન ફાઇલ કરનાર જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિના પ્રકાશ કાપડિયાએ જણાવ્યું છે કે પોલીસ સ્ટેશનમાં ૧૬ સીસીટીવી કેમેરા લગાવવાનું હાઇકોર્ટે કહ્યું હતું, પરંતુ દરેક જગ્યાએ ૧પ કેમેરા લગાવ્યા છે.
પોલીસ સ્ટેશનમાં પીઆઇની ચેમ્બર તેમજ પોલીસચોકીમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે પણ હાઇકોર્ટના કાનૂની અભિપ્રાય બાદ સીસીટીવી કેમેરા લગાવાશે. સેક્ટર-૧ના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ અમિત વિશ્વકર્માએ જણાવ્યું છે કે વાસણા પોલીસ સ્ટેશન નવું હોવાથી સીસીટીવી કેમેરા નથી, જે થોડાક સમયમાં લગાવવામાં આવશે ત્યારે આરોપીઓનું ઇન્ટરોગેશન વખતે ઓડિયો રેકોર્ડિંગ કરવામાં આવતું નથી. ચકચારી કિસ્સામાં વીડિયો રેકોર્ડિંગ સાથે ઇન્ટરોગેશન થાય છે અને હાઇકોર્ટના આદેશ પ્રમાણે સીસીટીવી કેમેરા લગાવેલા છે ત્યારે ઝોન-૪ના ડીસીપી નીરજ બડગુર્જરે જણાવ્યું છેકે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા નથી, જેને લગાવવા માટે પોલીસ વિભાગને પત્ર લખી દેવામાં આવ્યો છે.