પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના કોહાટના કરક જિલ્લામાં બુધવારે સ્થાનિક મોલવીઓની આગેવાનીમાં ધૂત બનેલી ભીડે એક હિન્દુ મંદિર તોડી નાખ્યું. એટલું જ નહીં, કટ્ટરપંથિઓની આ ભીડે મંદિરને આગના હવાલે પણ કરી દીધું.
ઐતિહાસિક મંદિરને ધરાશાયી કરવા પર એકઠા થયા લોકો
મંદિર પર મૌલવીએ કર્યા હતા કબજો કરવાના પ્રયત્ન
લોકોએ કહ્યું- આ છે નવું પાકિસ્તાન
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં કેટલાક લોકો મંદિરની દિવાલ અને છતને તોડતા દેખાઇ રહ્યા છે. ત્યારે, મંદિર પર ટોળાએ એવી રીતે હુમલો કર્યો કે તેને સમગ્ર રીતે નસ્તેનાબૂદ કરી દીધું છે. જણાવી દઇએ કે, પાકિસ્તાનમાં મંદિરને નુકસાન પહોંચાડવાની આ પહેલી ઘટના નથી, આ પહેલા પણ પાકિસ્તાનમાં મંદિરો પર હુમલા થતા રહ્યા છે.
મૂકદર્શક બન્યું રહ્યું સ્થાનિક તંત્ર
વૉયર ઑફ પાકિસ્તાન માઇનૉરિટી નામના એક ટ્વિટર હેન્ડલથી પણ એક વીડિયો ટ્વિટ કરવામાં આવ્યો છે, જેમાં મંદિરને તોડતા લોકોને સ્પષ્ટ જોઇ શકાય છે. પાકિસ્તાનના એક પત્રકારે જણાવ્યા અનુસાર, હિંદુઓએ મંદિરનો વિસ્તાર કરવા માટે તંત્ર પાસેથી મંજૂરી લીધી હતી, પરંતુ સ્થાનિક મોલવીઓએ મંદિરને નષ્ટ કરવા માટે એક ટોળાની વ્યવસ્થા કરી. એમ પણ કહેવાય રહ્યું છે કે, સ્થાનિક તંત્ર અને પોલીસના અધિકારી મૂક દર્શક બન્યા રહ્યા કારણ કે મંદિર જમીન નીચે ધ્વંસ થયું હતું.
Latest visuals from KPK, an extremist mob of Muslims are burning and razing down a #Hindu temple in Karak.
The reason is unknown but look at the hatred they have towards the religious minorities.
A little argument is all it takes here to destroy the lives of minorities. pic.twitter.com/rtoKFyk7yi
સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર થઇ રહ્યો હતો મંદિરનો જીર્ણોદ્ધાર
કરક જિલ્લાના તેરી ગામમાં સ્થિત ઐતિહાસિક મંદિર અને પરમહંસ જી મહારાજની સમાધી 2015માં એક સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર, જીર્ણોદ્ધાર અને વિસ્તાર કરવામાં આવી રહ્યો હતો. આ મંદિરને આ પહેલા 1997માં એક સ્થાનિક મુફ્તીએ નષ્ટ કરી દીધું હતું અને આના પર ગેરકાયદે કબજો કરી લીધો હતો.
Today in Naya Pakistan: Hindu temple set ablaze and razed to the ground by a charged mob led by clerics in Karak, Khyber Pakhtunkhwa. pic.twitter.com/6v1mkXnqgB
કેટલાક લોકોએ આ ઘટનાને શરમજનક ગણાવી છે, જેની નિંદા કરતા દેશમાં ધાર્મિક અલ્પસંખ્યકોની સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે. જણાવી દઇએ કે, પાકિસ્તાનમાં હિન્દુ અલ્પસંખ્યકો પર અત્યાચાર અને જબરદસ્તી ધર્મપરિવર્તનના પણ સમાચાર સતત આવતા રહે છે.