અમદાવાદ: સેટેલાઈટ ગેંગરેપ કેસમાં આજથી તમામ આરોપીઓના મેડિકલ ટેસ્ટ શરૂ થવા જઈ રહ્યા છે. આરોપીઓએ સામેથી નાર્કો ટેસ્ટ માટે કોર્ટમાં કરેલી અરજીને કોર્ટે સ્વિકારતા તમામ આરોપીઓના ટેસ્ટ શરૂ કરાશે. ગૌરવ વૃષભ અને યામિનીના ત્રણ પ્રકારના ટેસ્ટ કરવામાં આવશે.
આ ત્રણ ટેસ્ટ એટલે કે નાર્કો ટેસ્ટ પોલીગ્રાફી ટેસ્ટ અને બ્રેઈન મેપિંગ ટેસ્ટનો સમાવેશ કરશે.
શું છે નાર્કો ટેસ્ટ?
નાર્કો ટેસ્ટ અંગે જો વાત કરવામાં આવે તો. આ ટેસ્ટ વ્યક્તિએ પોતાના મનમાં જે કોઈ વાત દબાવી રાખી હોય બહાર લાવવા ન માગતી હોય તેને ઉજાગર કરવા માટે કરવામાં આવે છે.
કોઈપણ વ્યક્તિને કેફી દવાઓ કે ઇન્જેક્શન આપવામાં આવે છે અને અર્ઘઘેન જેવી સ્થિતિમાં વ્યક્તિના મનની હકીકતો જાણવાનો પ્રયત્ન કરાય છે. જ્યારે પોલીગ્રાફી ટેસ્ટ દ્વારા કોઈપણ વ્યક્તિ પોતાના વિચારો વ્યક્ત કરતી વખતે સાચું બોલે છે કે ખોટું તે જાણવાનો પ્રયત્ન કરાય છે. ડોઝ કેટલો રાખવો એ વ્યક્તિની વય સ્વાસ્થ્ય-શારીરિક સ્થિતિ પરથી નક્કી કરાય છે. આરોપીને સોડિયમ પેન્ટોથલ કે સોડિયમ એમીટલનું ઈન્જેક્શન અપાય છે.
લાઈવ ડિટેક્શન ટેસ્ટથી પણ નાર્કો એનાલિસિસ ટેસ્ટ સચોટ છે. નાર્કો ટેસ્ટમાં વ્યક્તિને અર્ધ-બેશુદ્ધ બનાવવામાં આવે છે. વૈજ્ઞાનિક અભિગમથી શ્રેણીબદ્ધ સવાલો પુછવામાં આવે છે. અંગત પ્રશ્નોથી માંડીને ઘટના સંબંધી પ્રશ્નો પુછવામાં આવે છે. પ્રશ્નોના જવાબ પરથી સત્ય જાણવાનો પ્રયાસ કરાય છે.
બ્રેઈન મેપિંગ ટેસ્ટ એટલે શું?
બ્રેઇન મેપિંગ ટેસ્ટ એટલે કે તેને કોમ્પ્યુટરના ક્રીન સામે બેસાડી તેના માથા પર વિવિધ પોઇન્ટ પર સેન્સર સેટ કરી કોમ્પ્યુટર ક્રીન પર જે ગુનાની ઘટનાનો આ કેસ હોય તેને લગતી તસવીરો બતાવવામાં આવે છે. ગુના સાથે સંકળાયેલી તસવીરો જોઈ આ વ્યક્તિના મગજમાં જે પ્રકારના વેવ્સ ક્રિએટ થાય તેનો મેપ બનાવવામાં આવે છે. મગજના મેપ દ્વારા નક્કી કરાય છે કે વ્યક્તિ સાચુ બોલે છે કે ખોટું
શું છે લાઈવ ડિટેક્શન ટેસ્ટ?
વ્યક્તિ પોતાના વિચારો વ્યક્ત કરતી સમયે સાચું બોલે છે કે ખોટું તે નક્કી કરાય છે. વ્યક્તિના મગજમાં થતા રાસાયણિક કે ન્યૂરોલોજિકલ ફેરફારોનું અવલોકન કરાય છે. ઈલેક્ટ્રોનીક સાધનો દ્વારા અવલોકન પૃથ્થકરણ રેકોર્ડિંગ કરવામાં આવે છે. મગજના સિગ્નલ અને મનોદૈહિક આચરણનાં ફેરફાર મોનિટર કરાય છે. મોનિટર કર્યા બાદ નક્કી કરાય છે કે વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું...