પહેલી જ ટેસ્ટ મેચમાં 10 વિકેટથી કરારી હાર મળ્યાં બાદ ટીમ ઇંડિયાની દરેક જગ્યાએ આલોચના થઈ રહી છે. આ વચ્ચે પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવે ટીમ મેનેજમેન્ટ પર આકરા સવાલો ઉઠાવ્યા છે. ભારતના દિગ્ગજ ખેલાડી કપિલ દેવે ટીમ મેનેજમેન્ટને પૂછ્યું કે તેમને સમજાઈ નથી રહ્યું કે દર મેચમાં નવી ટીમ હોય છે.
કપિલ દેવે ટીમ મેનેજમેન્ટ પર ઉઠાવ્યા સવાલ
કે.એલ.રાહુલને ન રમાડતા ગુસ્સો વ્યક્ત કર્યો
કોઈ ખેલાડી ફોર્મમાં હોઈ તો તેને રમાડવો જોઈએ - કપિલ દેવ
એક ન્યુઝ એજેન્સી સાથે કપિલ દેવ વાત કરતાં જણાવે છે કે તેમણે સૌથી પહેલા તો ન્યુઝીલેન્ડની ટીમના ખૂબ વખાણ કર્યા અને ન્યુઝીલેન્ડના ખેલાડીઓના પણ વખાણ કર્યા. જો મેચ વિષે ગંભીર રીતે વિચાર કરીએ તો સમજાતું નથી કે ટીમમાં આટલાં બધા બદલાવ શા માટે કરવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે "લઘભગ બધી જ મેચોમાં એક નવી ટીમ હોય છે. ટીમમાં કોઈનું સ્થાન નિશ્ચિત નથી. જો ટીમમાં સ્થાનને લઈને ભય રહેશે તો તે ખેલાડી પર અસર કરશે.
કપિલ દેવે કહ્યું કે તમારે પોતાની યોજના અને રણનીતિને વધારે ધ્યાન આપવું પડશે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વેલિંગટનમાં ટેસ્ટ મેચમાં બંને મેચ 200 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ ઇનિગ્સમાં 165 રન જ્યારે બીજીમાં 191 રન બનાવ્યા હતા.
રાહુલને ટીમમાંથી બહાર કાઢવો તે સમજની બહાર
ટેસ્ટ ટીમમાં કે.એલ.રાહુલ શામિલ ન કરવા પર પણ કપિલ દેવે ઘણા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે એક ખેલાડીને તેમના ફોર્મેટ અનુસાર નહિ પરંતુ તેમના ફોર્મ અનુસાર ટીમમાં સિલેક્ટ કરવો જોઈએ. તેમણે કહ્યું હતું કે મને સમજાતું નથી કે આવું કેમ થઈ રહ્યું છે આજના સમયમાં અને અમારા સમયમાં ઘણો બદલાવ આવી ગયો છે. 'જ્યારે તમે ટીમ બનાવો છો ત્યારે ટીમના ખેલાડીઓને વિશ્વાસ આપવો પડે છે. કે.એલ.રાહુલ હાલ શાનદાર ફોર્મમાં છે અને તેમને ટીમની બહાર બેસાડવામાં આવ્યો છે. જેમનો કોઈ મતલબ નથી. કપિલ દેવનું માનવું છે કે જ્યારે કોઈ ખેલાડી ફોર્મમાં છે તો તેમને રમાડવાની જરૂર છે.