રાજ્ય સરકારના બોર્ડ નિગમમાં નવી નિયુક્તિઓ કરવાની ફિરાકમાં ભાજપ , પાટીલે બોર્ડ-નિગમના ચેરમેન-વાઈસ ચેરમેનના રિપોર્ટ કાર્ડ મંગાવી બેઠકોનો દોર શરૂ કર્યો
બોર્ડ-નિગમના રાજીનામા લેવાયા
આગામી દિવસોમાં નવી નિયુક્તિ કરાશે
6 નિગમના ચેરમેન-વાઈસ ચેરમેનના રાજીનામા
રાજ્ય સરકારના બોર્ડ નિગમમાં નવી નિયુક્તિઓના એંધાણ વર્તાઇ ચૂક્યા છે. કુલ 78 બોર્ડ નિગમમાં આગામી સમયમાં નવી ભરતી થઈ શકે છે જેના માટે અત્યારથી જ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાથે ચેરમેનો સાથે મુલાકાત કરી લીધી છે. મહત્વનું છે કે 30થી વધુ બોર્ડ નિગમના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની અવધિ પૂર્ણ અગાઉ થઈ ચૂકી છે ત્યારે બોર્ડ નિગમમાં અવધિ પૂર્ણ થતાં હાલ 6 જેટલા રાજીનામાં તો અપાઈ ચૂક્યા છે આગામી દિવસોમાં વધુ રાજીનામાં લેવાય તેવી શક્યતાઓ પૂરેપૂરી છે. ખાલી પડેલા બોર્ડ નિગમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની રણનીતિ મુજબ નિયુકિત કરી દેવામાં આવશે. તમામમાં બોર્ડ-નિગમમાં પણ નો-રિપિટ થિયરીનો અમલ થશે.
કોણે આપ્યા રાજીનામા ?
1. વિમલ ઉપાધ્યાય, બિન અનામત આયોગ
2. બી.એચ.ઘોડાસરા, બિન અનામત આયોગ
3. સાજીદ હીરા, ગુજરાત વકફ બોર્ડ
4. પકજ ભટ્ટ, સંગીત કલા બોર્ડ
5. લીલાબેન અંકોલોયા, મહિલા
6. ધનસુખ ભંડેરી, ફાઇનાન્સ બોર્ડ
રાજીનામાં આપવા સૂચન કરી દેવાયું
બોર્ડ નિગમમાં ચેરમેન વાઇસ ચેરમેનની ટર્મ પુરી થતી હતી જેથી સરકારે રાજીનામુ માંગ્યું છે. અગાઉ 16 જેટલા અને અત્યારે 14 બોર્ડ નિગમ ટર્મ પૂર્ણ થઈ રહી છે. આગામી એક સપ્તાહમાં તમામ ચેરમેન વાઇસ ચેરમેન રાજીનામાં અંગે કરાયું સુચન કરી દેવામાં આવ્યું છે. જેમાં બળવંતસિંહ રાજપૂત આઇ.કે.જાડેજા,હંસરાજ ગજેરા, સજ્જાદ હીરા, મધુ શ્રીવાસ્તવ,મધુભાઈ મેર જેવા મોટા માથાઓના પણ રાજીનામાં લઈ નો-રિપીટ થિયરી બોર્ડ અને નિગમમાં પણ ભાજપ અપનાવશે
ભાજપ વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં જોતરાઈ
આજે રાજ્યભરમાં ભાજપ દ્વારા મંડળ સ્તરે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકનો પ્રારંભ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા કરવામાં આવ્યો હતો.પ્રથમ 15 મિનિટ તેમના દ્વારા સંબોધન કરવામાં આવ્યું અને બાદમાં જેને મંડળની જવાબદારી સોંપાઈ છે.જો કે બેઠકમાં જેમાં પેઇઝ મંડળ સ્તર થી લઈને હોદ્દેદારો અને MP અને MLA સહિત 40 હજાર લોકો અને 579 મંડળોમા બેઠક યોજાઇ હતી..આમ તો પ્રત્યેક તાલુકા કક્ષાના મંડળ કહે ભાજપ કહે છે,જેમાં સમગ્ર રાજ્યના તાલુકા જિલ્લા તેમજ મનપાના વોડ આધારિત મંડળોની બેઠક મળી હતી. જો કે 2022ની ચૂંટણી પહેલા કાર્યકર્તાઓને બુસ્ટ કરવા ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું કહેવું છે કે,આમ તો ભાજપનાં કાર્યકર્તાઓ કોઈપણ ઘડીએ ઇલેક્શન માટે તૈયાર હોય છે..પરંતુ ચૂંટણીને હજી સમય છે એ પહેલાં કાર્યકર્તાઓને બુસ્ટ કરવા માટે અને તેમની તકલીફો અને સૂચનો જાણવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું