ભારતમાં કોરોના વાયરસની મહામારીના પ્રકોપ વચ્ચે એક સારા સમાચાર આવ્યાં છે. દેશમાં પહેલી વખત કોરોના ગ્રસ્ત દર્દીઓની સાજા થવાની સંખ્યા એક્ટિવ કેસ કરતાં વધી ગઇ છે. આજરોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં કોવિડ-19ના કુલ 1,33,632 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધીમાં 1,35,206 દર્દીઓનો ઇલાજ થઇ જતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોનાના કુલ મામલો સંખ્યા 2.76 લાખથી વધારે થઇ ગઇ છે.
છેલ્લા 24 કલાકમાં અંદાજે 10 હજાર કેસ
સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 9,985 નવા કેસ સામે આવ્યાં છે. આ દરમિયાન દેશમાં 279 કોવિડ દર્દીઓના મૃત્યું થયા છે. આજરોજ સવાર સુધીમાં ભારતમાં કોરોનાના કુલ 2,76,583 કેસ હતા.
કોવિડ-19થી મરનારની સંખ્યા 7,745 સુધી પહોંચી ગઇ છે. મહારાષ્ટ્ર દેશનું સૌથી વધુ પ્રભાવિત રાજ્ય હજુ પણ બનેલું છે, જ્યાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 90,000 ઉપર પહોંચી ગયેલી જોવા મળી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 3,289 દર્દીઓના મૃત્યું થયાં છે.
6 રાજ્યોમાં 10,000 કરતાં વધારે કોરોના કેસ
મહારાષ્ટ્ર સહિત અન્ય 5 બીજા રાજ્ય છે જ્યાં કોરોનાના કેસોની સંખ્યા 10,000 કરતાં વધારે છે. તામિલનાડુ બીજા નંબર પર છે જ્યાં 34,014 કેસ સામે આવી ચૂક્યાં છે. જ્યાં અત્યાર સુધીમાં 307 લોકોનાં મોત થયા છે. જ્યારે દેશનું પાટનગર દિલ્હી ત્રીજા નંબરે છે. દિલ્હીમાં 31,309 કેસ સામે આવ્યાં છે જ્યારે 905 દર્દીઓના મૃત્યું થયા છે.
9985 new #COVID19 cases & 279 deaths reported in the last 24 hours. Total number of cases in the country now at 276583, including 133632 active cases, 135206 cured/discharged/migrated and 7745 deaths: Ministry of Health and Family Welfare pic.twitter.com/lFw0MwKvYp
અહીં 18,500થી વધારે એક્ટિવ કેસ છે. ગુજરાતમાં 21 હજાર કરતા વધાર કેસસામે આવ્યાં છે, જ્યાં અત્યાર સુધીમાં 1,313 ના મૃત્યું થયા છે. આ સિવાય ઉત્તર પ્રદેશમાં કોરોનાના 11,335 કેસ અને 301 મૃત્યું, તેમજ રાજસ્થાનમાં 11,245 કેસ સામે આવ્યાં છે. રાજસ્થાનમાં કોરોનાના અત્યાર સુધીમાં 255 લોકોના મૃત્યું થયા છે.