એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાના જણાવ્યાનુસાર કોરોના હવે મહામારી નથી રહી.
કોરોના હવે મહામારી નથી રહી - ડો. ગુલેરિયા
તહેવારો પર ભીડથી બચવું જરુરી
ભારતમાં દરેક વ્યક્તિને રસી નથી લાગતી ત્યાં સુધી સતર્ક રહેવાની જરુર
કોરોના હવે મહામારી નથી રહી - ડો. ગુલેરિયા
દેશમાં કોરોનાના મામલા સતત ઘટી રહ્યા છે અને મંગળવારે સંક્રમણના 26 હજાર મામલા સામે આવ્યા છે. સાથે 252 મોત થયા છે. એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાના જણાવ્યાનુસાર કોરોના હવે મહામારી નથી રહી. જો કે તેમણે સાવધાન કર્યા કે જ્યાં સુધી ભારતમાં દરેક વ્યક્તિને રસી નથી લાગતી ત્યાં સુધી સતર્ક રહેવાની જરુર છે. ખાસ કરીને તમામ માટે તહેવારો પર ભીડથી બચવું જરુરી છે.
ભારતમાં ઝડપથી રસીકરણ થઈ રહ્યું છે
ડો. ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં નોંધાઈ રહેલા આંકડા હવે 25 હજારથી 40 હજારની વચ્ચે આવી રહ્યા છે. જો લોકો સાવધાન નહીં રહે તો આ મામલા ધીરે ધીરે ઓછા રહેશે. જો કે કોરોના ક્યારેય પણ સંપૂર્ણ રીતે ખતમ નહીં થાય. પરંતુ ભારતમાં ઝડપથી રસીકરણ થઈ રહ્યું છે. તેને જોતા કોરોનાનું હવે મહામારીનું રુપ લેવું કે મોટા પાયે સમસ્યા પેદા કરવી મુશ્કેલ છે.
કોરોના વાયરસ જલ્દી જ સામાન્ય ફ્લૂની જેમ આવશે
એમ્સ ડાયરેક્ટર ડો. ગુલેરિયાનું કહેવું છે કે કોરોના વાયરસ જલ્દી જ સામાન્ય ફ્લૂ એટલે કે સાધારણ ખાંસી, શરદીની જેમ આવશે કેમ કે લોકોમાં હવે આ વાયરસની વિરુદ્ધ ઈમ્યૂનિટી તૈયાર થઈ ચૂકી છે પરંતુ બિમાર અને નબળી ઈમ્યૂનિટી વાળા લોકો માટે આ બિમારી જીવલેણ ખતરો છે. બૂસ્ટર ડોઝને લઈને કહ્યું હાલ તો તમામને બે ડોઝ લાગી જાય અને બાળકોને પણ રસી લાગી જાય એ બાદ બૂસ્ટર ડોધ પર ભાર મૂકવો જોઈએ.
બૂસ્ટર ડોઝ માટે પોલિસી બનાવવામાં આવશે
ગુલેરિયાએ કહ્યું કે વાયરસ ક્યાંયથી પણ ફેલાઈ શકે છે. આ દિશામાં દુનિયામાં રસી વહેંચીને ભારત પોતાની જવાબદારી નિભાવી રહ્યું છે. જો કે થોડાક સમય બાદ બિમારી, વૃદ્ધો અથવા નબળી ઈમ્યુનિટી વાળાને બૂસ્ટર ડોઝ મળી શકે છે. એ જરુરી નથી કે બૂસ્ટર ડોઝ તે જ રસીનો લાગે જેના તમે અગાઉ ડોઝ લીધા છે. આ માટે રહેલા પોલિસી બનાવવામાં આવશે. તેમનું કહેવું છે કે કેટલાક લોકોને બૂસ્ટર ડોઝની જરુર પડી શકે છે. તેમણે કહ્યું કે ડિસેમ્બર સુધી તમામને રસી લગાવવાનું લક્ષ્ય રાખેલું છે.