ભારતમાં કોરોના વાયરસ સામે મહાઅભિયાન ચાલી રહ્યું છે ત્યારે વેક્સિન લીધા બાદ પણ સાવચેતીના નિયમો પાળવા આવશ્યક હોવાનું સામે આવ્યું છે.
ભારતમાં ચાલી રહ્યું છે કોરોના વેક્સિન સામે રસીકરણ અભિયાન
વેક્સિન લીધા બાદ તરત નથી આવતા ઇમ્યુનિટી
વેક્સિન લીધા બાદ પણ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી
કોરોના વાયરસ સંક્રમણથી બચવા માટે ભારતમાં મહામારી સામે મહાજંગ શરૂ કરી દેવામાં આવી છે જેમાં હાલમાંઆ 60 વર્ષથી વધુ વયના લોકો તથા 45 વર્ષથી વધુ ગંભીર બીમારીથી ગ્રસિત લોકોને વેક્સિન આપવામાં આવી રહ્યા છે.
રસીકરણ બાદ પણ અમુક લોકોના સંક્રમિત થવાના સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના વાયરસ સંક્રમણથી બચવા માટે સાવચેતીના પગલાં ભરવા આવશ્યક છે. ખાસ કરીને સાર્વજનિક માસ્ક પહેરવા,હાથની સફાઇ અને સોશ્યલ ડિસ્ટન્સ જેવા નિયમોનું પાલન કરવું આવશ્યક છે.
કોરોના વાયરસની વેક્સિન લીધા બાદ પણ વ્યક્તિને કોરોના વાયરસ પોતાની ઝપેટમાં લઈ શકે છે. કારણ કે કોરોના વાયરસની રસી લીધા બાદ કેટલાક દિવસ બાદ શરીરમાં ઇમ્યુનિટી ક્ષમતા બને છે, તાત્કાલિક નહીં.
નોંધનીય છે કે વેક્સિન લીધા બાદ સામાન્ય તાવ, શરીરમાં દુખાવો અનુભવાય તો ગભરાવવાની જરૂર નથી. કોરોના જ નહીં કોઈ પણ બીમારીની રસી લેવામાં આવે ત્યારે તાવ જેવી અસર જોવા મળે છે. આ તકલીફ થોડા દિવસ સુધી જોવા મળી શકે છે.
રસી લીધા પહેલા પણ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે, જૉ કોઈ વ્યક્તિ પહેલાથી દવા લઈ રહ્યો હોય અથવા અન્ય કોઈ તકલીફ હોય તો પહેલા ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
નોંધનીય છે કે બીજી માર્ચથી દેશમાં કોરોના વાયરસની રસીકરણનું બીજું ચરણ શરૂ થયું છે અને આ ચરણમાં પહેલા રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ લોકોને રસી આપવામાં આવી રહ્યા છે.