કોરોના વાયરસની સામેની લડાઈમાં ભારત 16 જાન્યુઆરીએ ઈતિહાસ રચવા જઈ રહ્યો છે. આ એ તારીખ છે જ્યારે ભારત માત્ર 10 મહિના પહેલા સામે આવેલી મહામારીની રસીને પોતાના દેશના નાગરિકોને લગાવવા જઈ રહ્યો છે.
16 જાન્યુઆરી 2021ના રોજ ભારતમાં પહેલી રસી લાગવા જઈ રહી
આ કારણે 16 જાન્યુઆરીની તારીખ પસંદ કરવામાં આવી
રસીકરણ માટે એપ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
16 જાન્યુઆરી 2021ના રોજ ભારતમાં પહેલી રસી લાગવા જઈ રહી
આમ તો રસી વિકસાવવા માટે વૈજ્ઞાનિકોને 5 વર્ષ સુધીનો સમય લાગે છે પરંતુ આ સંકટને જોતા વૈજ્ઞાનિકોએ સુપર સ્પીડમાં કામ કર્યુ છે. જેનું પરિણામ એ છે કે 16 જાન્યુઆરી 2021ના રોજ ભારતમાં પહેલી રસી લાગવા જઈ રહી છે. દેશના પીએમ નરેન્દ્ર મોદીએ દેશને ખુશખબરી આપી છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે કોરોનાની સામે લડાઈમાં 16 જાન્યુઆરીએ એક મહત્વપૂર્ણ પગલા ભરવા જઈ રહ્યા છીએ. આ દિવસે નેશનલ લેવલ પર રસીકરણની ડ્રાઈવ શરુ થશે. આમાં આપણા બહાદુર ડોક્ટરો, હેલ્થકેર વર્કર્સ, સફાઈ કર્મચારીઓ સહિત ફ્રન્ટલાઈન વર્કર્સને પ્રાથમિકતા આપવામાં આવશે.
આ 3 ગ્રુપને પહેલા રસી મળશે
ઉલ્લેખનીય છે કે પહેલા ગ્રુપમાં હેલ્થવર્ક્સ છે જેમાં 1 કરોડ લોકો સામિલ છે. બીજા ગ્રુપમાં ફ્રન્ટલાઈન વર્કસ જેમાં કેન્દ્ર અને રાજ્યની પોલીસ અર્ધસૈનિક દળો, ઈમરજન્સી સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓ અને ત્રીજા ગ્રુપમાં 50 વર્ષથી વધારે ઉંમરના લોકોનો સમાવેશ થયો છે. 15 જાન્યુઆરી સુધીમાં લોહડી, મકરસંક્રાંતિ, પોંગલ અને માધ બિહુ જેવા તહેવારો પુરા થઈ જશે. જેથી વિચારીને આ તારીખ પસંદ કરવામાં આવી છે.
આ છે તૈયારીઓ
દેશમા રસીકરના પૂર્વાભ્યાસમાં 2 ડ્રાઈવ રન થઈ ચૂકી છે. દેશના ખૂણે ખૂણામાં રસી પહોંચાડવા માટે સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે. કુલ 29000 કોલ્ડ ચેન પોઈન્સ બનાવાઈ છે. 240 વોક ઈન કૂલર, 70 વોક ઈન ફ્રીજર, 45000 રેફ્રિજરેટર, 41000 ડીપ ફ્રીજર અને 300 સોલાર રેફ્રિજરેટરની વ્યવસ્થા છે.
કઈ રસી આપવામાં આવશે
દેશની પાસે હાલ 2 રસી છે કોવિશીલ્ડ અને કોવેક્સીન. કોવેક્સીન પૂરી રીતે સ્વદેશી છે. પહેલા બે ગ્રુપનો ડેટા સરકાર પાસે છે. જોરે ગ્રુપ 3 એટલે કે 50 વર્ષથી વધારે ઉંમરના લોકોને રસી માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે Co-WIN નામની એપ બનાવવામાં આવી છે. જો કે એપ લોન્ચ નથી થઈ.
કેવી રીતે રજિસ્ટ્રેશન
આ એપ લોન્ચ થતા તેને ડાઉનલોડ કરી Co-WIN પોર્ટલ પર જવાનું રહેશ. જ્યાં ફોટાવાળા આઈડી પ્રુફની સાથે ફોમ ભરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. એ બાદ તમારા ફોમમાં ભરેલા મોબાઈલ નંબર પર મેસેજ આવશે. જેમાં તમારી પહેલી રસીકરણ માટેના સેન્ટર, દિવસ અને સમયની તમામ જાણકારી મેસેજથી આપેલી હશે.
બીજો ડોઝ પણ જરુરી છે
રસી લગાવ્યા બાદ એક મેસેજ મળશે. તેના 30 મિનટ સુધી ઓબ્જર્વેશન રુમમાં તમારે રહેવાનું રહેશે. તેના 28 દિવસ બાદ તમને ત્રીજો મેસેદ આવશે. જેમાં તમને રસીના બીજા ડોઝ માટે બોલાવવામાં આવશે. અને 14 દિવસમાં એન્ટીબોર્ડી બની જશે તો તમારી તપાસ થશે અને તમને ચોથો મેસેજ આવશ તથા તમારુ રસીકરણ પુરુ થશે.