IITના વૈજ્ઞાનિકોએ કોરોનાની ત્રીજી લહેરને લઈને દાવો કરતા કહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેર ઓક્ટોબર પહેલા આવશે નહીં. આ સમયે સરકાર અત્યારથી તૈયારી કરીને તેના ખતરાને ઘટાડી શકે છે.
કોરોનાની ત્રીજી લહેરને લઈને કરાયો દાવો
IITના વૈજ્ઞાનિકોએ કર્યો દાવો
ઓક્ટોબરમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર
કોરોના મહામારીની ત્રીજી લહેરને લઈને IITના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ લહેર ઓક્ટોબર પહેલા આવશે નહીં. આ સમયે તમામ દેશની રાજ્ય સરકાર અત્યારથી તેની સામે લડવાની તૈયારી કરી શકે છે. IITના વૈજ્ઞાનિકે કહ્યું કે કોરોનાની લહેરને લડવા માટે કેટલાક ખાસ સૂચનો પણ આપવામાં આવ્યા છે. તેઓએ આ દાવો આ મોડલના આધારે કર્યો છે.
કોરોનાની બીજી લહેરે મચાવ્યો છે કહેર
કોરોનાની સેકંડ વેવથી કહેર મચ્યો છે. પહેલી વેવ અને બીજી વેવના ડેટાના આધારે એક મોડલ તૈયાર કરાયું છે. જેના આધારે કોરોનાના પીક અને તેના ઉતાર ચઢાવની જાણકારી મળી રહી છે. ગયા મહિને શરૂ કરાયેલા આ મોડલનું અનુમાન મહદઅંશએ સાચુ રહ્યું છે. તેના આધારે જુલાઈ સુધીમાં લગભગ કોરોનાની સ્થિતિ સામ્નય થશે અને સાથે યુદ્ધના ધઓરણે સરકારે તૈયારી કરવાની રહેશે જેથી ઓક્ટોબરમાં આવનારી કોરોનાની ત્રીજી વેવના સંક્રમણને તરત જ ઘટાડી શકાય.
આપવામાં આવ્યા છે આ સૂચનો
સેકન્ડ વેવ ખતમ થયા બાદ પણ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું કડકાઈથી પાલન કરવું જરૂરી છે. ઓક્ટોબર પહેલા સુધી 90 ટકા વેક્સીનેશન થાય તો તેમાં રાહત મળી શકે છે.
આર નોટ વેલ્યૂ 5ની નજીક
IITના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે મહામારીની ભયાનકતાને માપવા માટે આર નોટ વેલ્યૂ કાઢવામાં આવે છે. આ સમયે કોરોનાની ફર્સ્ટ વેવમાં આર નોટ વેલ્યૂને 2થી 3ની નજીક માનવામાં આવી હતી. જ્યારે સેકન્ડ વેવમાં આ વેલ્યૂ 4-5ની નજીક રહી છે. એટલે કે એક વ્યક્તિ ઓછામાં ઓછા 4-5 લોકોને સંક્રમિત કરી રહ્યો છે. જો આર નોટ વેલ્યૂ 1થી ઓછી થાય છે તો આ મહામારી રહેશે નહીં.