કોરોના વાયરસને આખરે નામ મળ્યું . હવે કોરોના વાયરસને કોવિડ 19 નામથી ઓળખવામાં આવશે. કોવિડ 19 કોરોનાને કારણે અત્યાર સુધીમાં દુનિયામાં 1115 લોકોના મોત થઈ ચૂક્યાં છે. જ્યારે 45182 લોકો અસર ગ્રસ્ત છે. હવે આ કોરોના વાયરસને કોવિડ 19 (Covid 19) ના નામથી ઓળખાશે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસનું નામ આ પહેલા બદલીને નોવેલ કોરોના વાયરસ નિમોનિયા કરવામાં આવ્યું હતું. જ્યારે 4,811 લોકો તેમાંથી બહાર આવી ચૂક્યા છે.
WHOએ કહ્યું કે કોવિડ 19 હજું સુધી નિયંત્રણમાં આવ્યો નથી
કોવિડ 19 કોરોના આ મહિને બહું ફેલાશે
બ્રિટનના વૈજ્ઞાનિકે દવા શોધી હોવાનો દાવો કર્યો છે
WHOએ કહ્યું કે કોવિડ 19 હજું સુધી નિયંત્રણમાં આવ્યો નથી
કોવિડ 19 નામ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ આપ્યું છે. WHOએ કહ્યું કે કોવિડ 19 હજું સુધી નિયંત્રણમાં આવ્યો નથી અને ફેલાઈ રહ્યો છે. મંગળવારે ફક્ત ચીનમાં જ 108 લોકોના મોત નિપજ્યાં છે. છેલ્લા બે દિવસથી 100થી વધારે લોકોના મોત થઈ રહ્યાં છે.
કોવિડ 19 કોરોના આ મહિને બહું ફેલાશે
ચીનના ચેપી બીમારીઓના વિશેષજ્ઞ જૉન્ગ નેનશન(Zhong Nanshan)એ કહ્યું કે કોવિડ 19 કોરોના આ મહિને બહું ફેલાશે. આ હજું જીવલેણ બનશે.
મરનારાઓની સંખ્યામાં કોઈ ઘટાડો નથી થયો
જૉન્ગ નેનશેન એ જણાવ્યું હતું કે એ આનંદની વાત છે કે હવે કોરોનાના ચેપનું પ્રમાણ ઓછુ થઈ રહ્યું છે. જોકે હજું સુધી તેના કારણે મરનારાઓની સંખ્યામાં કોઈ ઘટાડો નથી થયો. તે દિવસેને દિવસે વધી રહ્યો છે.
બ્રિટનના વૈજ્ઞાનિકે દવા શોધી હોવાનો દાવો કર્યો છે
ચીનના સ્વાસ્થ્ય વિભાગનાં જણાવ્યાંનું સાર કોવિડ 19ના કારણે હવે ચેપનો દર દર અઠવાડિયામાં 2 ટકા ઘટે છે. જોકે હજું સુધી તેની દવા શોધી શકાઈ નથી. બીજી તરફ બ્રિટનના વૈજ્ઞાનિકે દવા શોધી હોવાનો દાવો કર્યો છે.