કોરોના મહામારીની વચ્ચે સીઝનલ બીમારીઓએ લોકોની ચિંતા વધારી છે. બદલાતી સીઝનમાં ઈન્ફ્લુએન્ઝા અને ટાઈફોઈડથી લઈને મચ્છરના કારણે થતા ડેન્ગ્યૂ, મલેરિયા, ચિકનગુનિયાનો ખતરો વધે છે. આ દિવસોમાં ડેન્ગ્યૂ ચિંતા વધારી રહ્યો છે. કોરોના અને ડેન્ગ્યૂનું વધતું સંક્રમણ પણ ખતરનાક બની રહ્યું છે. આ સાથે બંને બીમારીના એટેક સામે લડી રહેલા દર્દીઓની સારવાર માટે કોઈ સ્ટેન્ડર્ડ પ્રોટોકોલ પણ નથી. આ સમયે ડોક્ટર્સ પણ મુશ્કેલીમાં મૂકાયા છે.
કોરોના અને ડેન્ગ્યૂનું બમણું સંક્રમણ
બંને રોગના સંક્રમણમાં થઈ રહ્યો છે વધારો
સીઝનલ બીમારીઓએ ડોક્ટર્સની ચિંતામાં કર્યો વધારો
હાલમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને કોરોનાની સારવાર માટે બુધવારે દિલ્હીના એલએનજેપી હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. એક દિવસ બાદ તેમને ડેન્ગ્યૂ હોવાનું પણ જાણવા મળ્યું. ગુરુવારે સાંજે તેમને સાકેતની મૈક્સ હોસ્પિટલમાં એડમિટ કરાયા. તેઓને 14 સપ્ટેમ્બરે કોરોના હોવાનું જાણવા મળ્યું હતું. જાણકારોનું કહેવું છે કે કોરોના અને ડેન્ગ્યૂના વધતા સંક્રમણથી પીડિત રોગીના ઉપચારના કોઈ માનક પ્રોટોકોલ ન હોવાના કારણે સંતુલિત પ્રયાસોની જરૂર છે.
વિશેષજ્ઞો આપી રહ્યા છે અલગ અલગ પ્રતિક્રિયા
રાજીવ ગાંધી સુપર સ્પેશ્યલિટી હોસ્પિટલના ચિકિત્સા નિર્દેશક ડૉ. બીએલ શેરવાલે કહ્યું કે બંને બીમારીઓનો કોઈ ખાસ ઉપચાર નથી. તેના કારણે આ રોગીની સારવાર કરવાનું ડોક્ટર્સ માટે મુશ્કેલ બન્યું છે. તેઓએ કોરોના અને ડેન્ગ્યૂ બંનેમાં લક્ષણના આધારે સારવાર કરવાની રહે છે અને તે પણ બંને વિરોધાભાસી રોગ છે. અન્ય તરફ ફોર્ટિસ હોસ્પિટલના ફેફસા સંબંધિત વિશેષજ્ઞો માને છે કે આ બંનેના સંક્રમણની સ્થિતિમાં સંતુલિત પ્રયાસોની જરૂર છે. પહેલાં તો જોવું પડે છે કે કઈ બીમારી વધુ મુશ્કેલી લાવી રહી છે. આ રીતે ઉપાય નક્કી કરાય છે. વાયરસ સંક્રમણથી થાય છે પરંતુ ડોક્ટર અને રોગીને માટે આ સ્થિતિ અસામાન્ય છે.
અમેરિકી વિશ્વવિદ્યાલયની સાથે કરાયેલા એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે પહેલાં ડેન્ગ્યૂથી ગ્રસિત થયેલા જે રોગીમાં એન્ટીબોડી વિકસિત થાય છે તેમાં કોરોનાના સંક્રમણનું પરિણામ ખોટું આવે છે. આરટી-પીસીઆર તપાસમાં પણ આવું થઈ રહ્યું છે. પરંતુ આ માટે કંઈ પણ કહેવું અતિશયોક્તિ કહેવાશે.
સાવધાની જ બેસ્ટ ઉપાય
જીટીબી હોસ્પિટલના ચિકિત્સા અધિક્ષક રાજીવ રૌતૈલાનું કહેવું છે કે શ્રેષ્ઠ રીત એ છે કે શક્ય તેટલી સાવધાની રાખો. મચ્છર જન્માવનારા સ્થાનો પર પાણી ન રહેવા દો. બંને બીમારીઓનો કોઈ ઉપચાર નથી.ફક્ત લક્ષણના આધારે તેની સારવાર કરાય છે. આ માટે લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.