કોરોના વાયરસની રસીને લઈને વિશ્વભરમાં જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે અને વૈજ્ઞાનિકો દિવસ રાત એક કરીને રસીની શોધમાં લાગેલા છે ત્યારે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકમાં કોરોનાની કોવાક્સિન પર કામ કરવામાં આવી રહ્યું છે અને પરીક્ષણ ત્રીજા ચરણમાં પહોંચી છે.
ભારતમાં તૈયાર કરવામાં આવી રહી છે COVAXIN
આ મહિનાની શરૂઆતમાં જ ત્રીજા ટ્રાયલની થઇ છે શરૂઆત
ઓછામાં ઓછી 60 ટકા અસરકારક હશે વેક્સિન : કંપની
ભારત બાયોટેક અને આઈસીએમઆર દ્વારા તૈયાર કરવામાં આવી રહેલ આ વેક્સિન પર દાવો કરવામાં આવ્યો છે કે વેક્સિન ઓછામાં ઓછી 60 ટકા અસરકારક છે અને તેની અસરકારકતા વધારે પણ હોઈ શકે છે.
કોરોનાની આ રસીના સ્ટોરેજ માટે 2-8 ડીગ્રી સ્લેસિયસ તાપમાનની જરૂર પડશે અને અત્યારે ભારત બાયોટેક પાસે ત્રીસ કરોડ ડોઝ બનાવી શકે તેવી ક્ષમતા છે જેને આવતા વર્ષ સુધી વધારવામાં પણ આવશે. જોકે કંપનીઓ કિંમતના વિષયમાં હજુ પણ પોતાના પત્તા ખોલ્યા નથી.
ભારત બાયોટેકમાં ક્વોલિટી ઓપરેશનના પ્રમુખ સાઈ ડી પ્રસાદે કહ્યું કે WHO, યુનાઈટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અને ભારતની સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટેન્ડર્ડ કંટ્રોલ દ્વારા શ્વસન રોગને લગતી વેક્સિનને મંજૂરી આપી હતી ત્યારે તે તો 50 ટકા જ પ્રભાવશાળી હતી.
કંપનીએ કહ્યું કે કોરોના વાયરસની વેક્સિન પર 60 ટકા અસરનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે અને તે વધી પણ શકી છે. ભારતમાં કોરોના વાયરસ રસી પર કામ કરી રહેલ કંપનીએ આ મહિનાની શરૂઆતમાં જ ત્રીજા ચરણનાં ટ્રાયલની શરૂઆત કરી હતી અને 25 સેન્ટર પર 26 હજાર લોકો પર ટ્રાયલ કરવામાં આવી રહ્યો છે.