લગ્નો તો તમે ઘણા જોયા હશે પરંતુ ઓડિશાના ભુવનેશ્વરમાં એક એવા લગ્ન થયા છે જેની ચર્ચા થવી જરૂરી છે અને લોકો સુધી વાત પહોંચાડવી જરૂરી છે. ભારતીય લગ્નોમાં ડેકોરેશન અને જમણવારમાં ઘણા પૈસા વાપરવામાં આવે છે અને ખાવાનું વેસ્ટ પણ ઘણુ થાય છે.
કપલે આપી અનોખી રીતે લગ્નની ટ્રીટ
500 શ્વાનને ખવડાવીને ઉજવણી કરી
માતાને શ્રદ્ધાંજલિ આપવા કર્યુ આ કામ
ત્યારે આજે આપણે એવા એક લગ્ન વિશે વાત કરીશું જેમાં સંબંધીઓને જમણવારમાં બોલાવ્યા કરતા 500 બેજુબાન પ્રાણીઓને ખાવાનુ ખવડાવીને લોકોનું દિલ જીતી લીધું.
ત્રણ વર્ષ પહેલા લીધો નિર્ણય
આ કપલે ત્રણ વર્ષ પહેલા એક બીજાને પ્રોમિસ આપ્યું હતુ. યુરેકા આપ્તા વ્યવસાયે ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ મેકર છે જ્યારે પત્ની એક ડેન્ટિસ્ટ છે. બંનેએ મળીને એનિમલ વૅલફેર એનજીઓ એકસરાની મદદથી પ્રાણીઓને ખાવાનુ ખવડાવ્યું હતું. સાથે જ એનજીઓ માટે કેટલાક પૈસા પણ દાન કર્યા.
કેમ કર્યુ આ કામ
લગ્નના 2 દિવસ પહેલા એક એનિમલ શેલ્ટર જઇને પ્રાણીઓ માટે દવાઓ અને ખાવાનુ દાન કર્યું. જ્યારે 25 સપ્ટેમ્બરે લગ્નના બંધનમાં બંધાવાના હતા ત્યારે શહેરના સ્ટ્રીટ ડોગ્સને જમાડ્યા હતા. આ કામના પાછળ વરરાજાની માતાનો વિચાર હતો. જેમની મૃત્યુ થોડા સમય પહેલા થઇ ગઇ હતી. દિકરો માતાને શ્રદ્ધાંજલિ આપવા માંગતો હતો. જેના માટે આ દિવસ જ તેણે સિલેક્ટ કર્યો અને શ્વાનોને જમણ કરાવ્યું.
ભવિષ્યમાં આ કામ કરતા રહેશે
મળતી માહિતી અનુસાર, કપલે વર્ષની શરૂઆતમાં એક કુતરાને પણ બચાવ્યો હતો. તે શ્વાન એક્સિડેન્ટમાં ઘાયલ હતો અને શેલ્ટરની શોધમાં તેમને આ એનજીઓ વિશે જાણકારી મળી અને બાદમાં તેમણે ચેરિટીનો નિર્ણય કર્યો, સાથે જ ભવિષ્યમાં આ કામ કરતા રહેશે.