કોરોનાને લઈને WHOએ રાહતના અને મોટા સમાચાર આપ્યા છે. WHOએ જણાવ્યું છે કે પ્રાણીઓથી માણસો સંક્રમિત થયા હોય તેવું ક્યાંય જોવા મળ્યું નથી. મળતી માહિતી અનુસાર કોરોના દર્દીના ઘરના પાલતૂ પ્રાણીઓમાં સંક્રમણ જોવા મળી રહ્યું છે. તેઓ કઈ રીતે સંક્રમિત થયા છે તેની પર WHOનું સંશોધન ચાલુ છે.
કોરોનાને લઇને WHOએ આપ્યા રાહતના સમાચાર
પ્રાણીઓથી માણસો સંક્રમિત થયા હોય તેવું પ્રમાણ નથી મળ્યુંઃ WHO
પાલતુ પ્રાણી કઇ રીતે સંક્રમિત થયા તેના પર સંશોધન ચાલું છેઃ WHO
કોરોનાના કારણે ઘરમાં રહેનારા પાલતૂ જાનવરોને કોરોનાનું સંક્રમણ થયું હોય તેવા કોઈ કેસ સામે આવ્યા નથી. પાલતૂ જાનવરોમાં સંક્રમણ મળી રહ્યા છે પણ તેનાથી માણસોમાં કોરોના ફેલાયો હોય તેવો કોઈ કેસ જોવા મળ્યો છે.
આ કારણે પાલતુ જાનવરોમાં ફેલાઈ શકે છે કોરોના
શક્ય છે કે સંક્રમણ વાયુમંડળમાં ફેલાયેલી કોઈ હવા કે અન્ય કારણોથી જાનવરોમાં ફેલાઈ રહ્યો છે. જો આવું બન્યું છે તો તે શોધનો વિષય છે. જે કારણોથી જાનવરોમાં સંક્રમણ ફેલાઈ રહ્યું છે તે નક્કી જ માણસોને માટે પણ ચિંતાનો વિષય છે.
ચીનમાં પણ આવો કોઈ કેસ સામે આવ્યો નથી
ચીનના વુહાનમાં પણ બિલાડીઓ પરના એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે તે કોરોનાથી સંક્રમિત થઈ શકે છે પણ પાલતૂ જાનવરોથી માણસો સુધી સંક્રમણ પહોંચ્યું હોય તેવા કોઈ પ્રમાણ મળ્યા નથી.