ભારતમાં સોમવારે કોરોના વાયરસ રસીકરણના બીજા ચરણની શરુઆત થઈ ગઈ છે.
આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને કાયદા મંત્રી કોરોનાની રસી લેશે
પહેલા દિવસે દેશને 4 લાખ 27 હજાર 072 લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો
ગુજરાતના સીએમએ આપ્યો સંદેશ
આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને કાયદા મંત્રી કોરોનાની રસી લેશે
બીજા તબક્કાના રસીકરણના પહેલા દિવસે પીએમ મોદી સહિત દેશના અનેક મોટા નેતાઓએ રસીકરણ કરાવ્યું છે. ત્યારે આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ કોરોનાની રસી લગાવશે. મળતી માહિતી મુજબ ડો. હર્ષવર્ધન દિલ્હીમાં તો રવિશંકર પ્રસાદ પટનામાં રસી લેશે.
પહેલા દિવસે દેશને 4 લાખ 27 હજાર 072 લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો
રસીકરણના પહેલા દિવસે દેશને 4 લાખ 27 હજાર 072 લોકોએ રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો. આ સાથે 16 જાન્યુઆરીથી અત્યાર સુધી દેશમાં કોવિડ 19ની રસીા 1 કરોડ 47 લાખ 28 હજાર 569 ડોઝ અપાઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી, અમિત શાહ અને ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડૂ સહિત લોકોએ રસી લીધી છે. જેમણે સોમવારે રસીકરણ અભિયાનના બીજા તબક્કાનો પહેલો ડોઝ લીધો છે તેમાં ઓડિસાના સીએમ નવીન પટનાયક અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, વિદેશમંત્રી એસ, જયશંકર અને રાકાંપા અધ્યક્ષ શરદ પવારને પણ રસી લીધી
આ લોકોએ પણ લીધી રસી
રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા અને તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે રસીનો ડોઝ લીધો. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે પણ રસી લીધી. જોકે રજીસ્ટ્રેશન સવારે 9 વાગે ખુલ્યુ પરંતુ પીએમ મોદીએ પોતાનો ડોઝ સવારે દિલ્હીમાં એમ્સમાં લઈ લોકોને રસી લેવા અપીલ કરી.
રસી લીધા બાદ શરદ પવારે કર્યું ટ્વિટ
શરદ પવારે ટ્વિટ કરીને જણાવ્યું કે મેં આજે સર જેજે હોસ્પિટ, મુંબઈમાં કોરોનાની રસી લીધી. વેક્સિનેશન ડ્રાઈવને મજબૂત કરવા માટે હું એ તમામ લોકોને કોરોના સામેની લડાઈમાં સામેલ થવાની અપીલ કરુ છું કે જેઓ રસી લેવા માટે યોગ્ય છે.
પીએમે ટ્વીટ કર્યુ
મોદીએ સવારે 7.06 વાગે ટ્વીટ કરી કહ્યું કે મે એમ્સમાં કોરોનાની રસીનો મારો પહેલો ડોઝ લીધો. આ પ્રશંસનીય છે કે કેવી રીતે આપણા ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ કોરોનાની વિરુદ્ધ વૈશ્વિક લડાઈને મજબૂત કરવા માટે ત્વરિત સમયમાં કામ કર્યુ છે. હું તે તમામને અપીલ કરુ છું કે જે રસી લેવા માટે યોગ્ય છે તેઓ લે. સાથે ભારતને કોરોના મુક્ત બનાવે.
ઉપરાષ્ટ્રપતિએ કરી અપીલ
અમિત શાહે દિલ્હી મેદાંતા હોસ્પિટલમાં રસી લીધી. ઉપરાષ્ટ્રપતિએ રાજકીય મેડિકલ કોલેજ ચેન્નાઈમાં રસીનો પહેલો ડોઝ લીધો. નાયડૂએ ટ્વીટ કરી રહ્યું કે હું તમામ યોગ્યતા વાળા લોકોને અપીલ કરુ છુ કે તેઓ રસી લગાવે અને કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈમાં સામેલ થાય.
ગુજરાતના સીએમએ આપ્યો સંદેશ
આ ઉપરાંત નીતિશ કુમાર, શરદ પવારની પત્ની પ્રતિભા પવાર અને દીકરી તથા સાંસદ સુપ્રિયા સુલેએ પણ રસી લીધી. તેમજ દ્રવિડાર કષગમના અધ્યક્ષ કે. વીરમણીએ ચેન્નાઈમાં રસી લીધી. ગુજરાતના સીએમ વિજય રુપાણી અને તેમના પત્ની અંજલીએ પણ ગાંધીનગરમાં રસી લીધી. રુપાણીએ કહ્યું કે તેમણે રસી એ સંદેશ આપવા માટે લીધી છે કે લોકોને ડરવાની જરુર નથી અને કોરોના વાયરસને હરાવવા માટે રસી લેવી જરુરી છે.