કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય તરથી જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 14,516 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 375 લોકોના મૃત્યું થયા છે. આ સાથે દેશમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 3,95,048 થઇ ગઇ છે, જેમાં, 1,68,269 સક્રિય મામલા છે. જેમાંથી 2,13,831 લોકો ઠીક થઇ ગયા છે અથવા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, જ્યારે અત્યાર સુધીમાં 12,948 લોકોના મૃત્યું થયા છે.
ભારતમાં શનિવારે એક જ દિવસમાં કોરોના વાયરસ મહામારીના રેકોર્ડેબલ 14,516 કેસ નોંધાયા છે. આ વચ્ચે સકારાત્મક સમાચાર એ છે કે સ્વસ્થ થઇ ગયેલા લોકોનો આંકડો 2,00,00ને પાર પહોંચી ગયો છે. હવે 2,13,830 લોકો આ સંક્રમણથી બહાર નીકળી ગયા છે જ્યારે 1,68,269 એક્ટિવ કેસ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર અત્યાર સુધીમાં 54.1 ટકા દર્દી સંક્રમણથી બહાર આવી ગયા છે. એક જ દિવસમાં 14,516 નવા કેસ સામે આવાથી દેશમાં કુલ કેસોની સંખ્યા 3,95,048 થઇ ગઇ છે. જ્યારે મૃતકોની સંખ્યા 12,948 છે, જ્યારે 375 લોકોના એક જ દિવસમાં મૃત્યું થયા છે. આ મહીનામાં અત્યાર સુધીમાં 2,04,513 કેસ થયા છે.
કોરોનાના વધતા કેસ પર નજર નાંખીએ તો સૌથી વધારે 3 રાજ્ય પર સંકટ વધેલું જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશના માત્ર 3 રાજ્યોમાંથી અંદાજે 10,000 જેટલા કેસ સામે આવ્યા છે. દિલ્હી, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં કોરોનાના 9070 કેસ સામે આવ્યાં છે.
જ્યારે દેશના અન્ય 33 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મળીને 5437 કેસ સામે આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાંથી 3137 નવા કેસ, મહારાષ્ટ્રમાંથી 3827 અને તામિલનાડુમાંથી 2115 નવા કેસ સામે આવ્યાં છે.