કોરોનાનો કેર ધીરે ધીરે ઓછો થતો જણાઈ રહ્યો છે. ત્યારે જાણો આજે કેટલા નવા કેસ આવ્યા.
24 કલાકમાં 14,306 મામલા નોંધાયા, તો 443 મોત થયા
અત્યાર સુધી 102.27 કરોડ રસી લગાવાઈ ચૂકી છે
દૈનિક પોઝિટિવિટી દર 1.43 ટકા
24 કલાકમાં 14,306 મામલા નોંધાયા, તો 443 મોત થયા
ગત 24 કલાકમાં 14,306 મામલા સામે આવ્યા છે. ત્યારે કોરોનાથી થનારા મોતનો આંક 443 છે. રાહતની વાત એ છે કે જેટલા લોકોને દર રોજ સંક્રમિત થઈ રહ્યા છે. તેનાથી વધારે લોકો સાજા થઈ રહ્યા છે. 24 કલાકમાં કોરોનાથી 18, 762 લોકો સાજા થઈ ચૂક્યા છે. ત્યારે એક્ટિવ કેસોની સંખ્યા સતત ઘટી રહી છે. દેશમાં 1, 67, 695 એક્ટિવ મામલા છે. જે ગત 239 દિવસમાં સૌથી ઓછા છે. મંત્રાલય મુજબ નવા મામલા બાદ દેશમાં હાલ 3 કરોડ 31 લાખ 89 હજાર 774 કોરોના કુલ મામલા થયા છે. જેમાંથી 3 કરોડ 45 લાખ 67 હજાર 367 લોકો સાજા થઈ ચૂક્યા છે. તો 4 લાખ 54 હજાર 712 લોકોના મોત થયા છે. નવા કેસ મળ્યા બાદ એક્ટિવ કેસમાં 4 હજાર 899નો ઘટાડો આવ્યો છે.
દૈનિક પોઝિટિવિટી દર 1.43 ટકા
દેશમાં અઠવાડિક પોઝિટિવિટી રેટ પણ 3 ટકાથી ઓછો ચાલી રહ્યો છે. આ વર્તમાનમાં 1.24 ટકા છે અને દૈનિક પોઝિટિવિટી દર 1.43 ટકા છે.
અત્યાર સુધી 102.27 કરોડ રસી લગાવાઈ ચૂકી છે
દેશમાં સતત કોરોનાની તપાસ માટે ટેસ્ટિંગ જારી છે. જે અંતર્ગત 60.07 કરોડ ટેસ્ટ થઈ ચૂક્યા છે. ત્યારે લોકોને વાયરસથી સુરક્ષા આપવા માટે રસીકરણ અભિયાન ચાલુ છે ત્યારે ગત રોજ 12 લાખ 30 હજાર 720 ડોઝ અપાયા છે. કોવિન પોર્ટલ પરની જાણકારી મુજબ અત્યાર સુધીમાં 1 અરબ 2 કરોડ 30 લાખ 96 હજાર 452 ડોઝ અપાયા છે. જેમાંથી 71 કરોડ 80 લાખ 83 હજાર 978 ને પહેલો ડોઝ અને 30 કરોડ 50 લાખ 12 હજાર 474ને બીજો ડોઝ લાગ્યો છે.