કોરોના વાયરસના કહેર વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. તેમણે પોતાના સત્તાવાર એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને કહ્યું હતું કે, આ સમય ગભરાવાનો નથી પરંતુ સતર્કતા દેખાડવાનો છે. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે, માત્ર ઘરમાં જ રહેવાની જરૂર નથી પરંતુ આપ જે શહેર કે કસ્બામાં છો ત્યાં જ રહો.
કોરોના વાયરસના કહેર વચ્ચે PM મોદીએ લોકોને સતર્ક રહેવાની અપીલ કરી
આ સમય ગભરાવાનો નથી પરંતુ સતર્કતા દેખાડવાનો છે : PM મોદી
આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, બિનજરૂરી યાત્રાથી ન આપને કોઇ પ્રકારની મદદ થઇ શકશે ન બીજા કોઇને મદદ કરી શકાશે. PM મોદીના જણાવ્યા મુજબ, આ સમયમાં આપણો નાનો પ્રયાસ મોટી અસર લાવી શકે છે તેમ જણાવવાનો છે.
Never forget - precautions not panic!
It’s not only important to be home but also remain in the town/ city where you are. Unnecessary travels will not help you or others.
In these times, every small effort on our part will leave a big impact. #IndiaFightsCorona
પીએમ મોદીએ લોકોને અપીલ કરી હતી કે તેઓ ડોકટરો અને અધિકારીઓની સલાહનું પાલન કરે. તેમણે કહ્યું, "આ સમયે, આપણે બધાએ ડોકટરો અને અધિકારીઓની સલાહ માનવી જોઈએ. જેમણે ક્વારંટાઇનમાં રહેવાનું કહેવામાં આવ્યું છે, હું તમને અપીલ કરું છું કે કૃપા કરીને સૂચનોનું પાલન કરો. આ બાબત આપની સાથે આપના પરિવાર અને મિત્રોનું રક્ષણ કરશે.
સિક્યુરિટી, સફાઇ અને આઇટી પ્રોફેશનલ્સને પ્રધાનમંત્રીના સલામ
This is the time we should all listen to the advise given by doctors and authorities.
All those who have been told to stay in home quarantine, I urge you to please follow the instructions.
This will protect you as well as your friends and family. #IndiaFightsCorona
પ્રધાનમંત્રી મોદીએ લાખો સિક્યુરિટી ગાર્ડ્સ, કેશ વાન ક્રૂ, સફાઇ, પેસ્ટ / ફ્યુમિગેશન સ્ટાફનો આભાર માન્યો હતો, જેઓ કોવિડ -19 સાથેની લડતમાં 'ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ' ની ભૂમિકા ભજવી રહ્યા હતા. તેમણે કહ્યું કે આ લોકો 'હીરો' છે અને તેમનું યોગદાન આવનારા વર્ષો સુધી યાદ કરવામાં આવશે. આઇટી પ્રોફેશનલ્સ પર ગૌરવ વ્યક્ત કરતાં વડા પ્રધાને કહ્યું કે તેઓ અન્ય નાગરિકોને અવિરત સેવાઓ આપવા માટે સખત મહેનત કરી રહ્યા છે. તેમણે કહ્યું, "COVID-19 સાથેની લડતમાં ઇનોવેટર્સ અને ઉદ્યોગ સાહસિકોની મોટી ભૂમિકા છે".
PM મોદીએ કોવિડ-19 ઇમરજન્સી ફંડમાં માલદીવ તરફથી આવેલા 2 લાક અમેરિકન ડોલરના યોગદાનના વખાણ કર્યા હતા. તેમણે માલદીવના રાષ્ટ્રપતિને ટ્વીટર પર ટેગ કરતા લખ્યું કે, આ મહામારી વિરૂદ્ધ અમારી સામુહિક જંગના સંકલ્પને મજબૂત બનાવશે.
Deeply appreciate contribution of USD 200,000 by Government of Maldives to the COVID-19 Emergency Fund. It strengthens our resolve in this collective fight against the pandemic. @ibusolih
૬૦ ૬૫ ની ઉંમરથી મોટા લોકો ઘરથી બહાર ન નીકળે એ ખૂબ જરૂરી છે. હું આજે દેશવાસીઓ પાસેથી એક સમર્થન માંગુ છું. જનતા કર્ફ્યું. લોકો માટે લોકો દ્વારા કરવામાં આવતો કર્ફ્યું. રવિવાર 22 માર્ચે લોકો જનતા કર્ફ્યુંનું પાલન કરે. PM મોદીએ કહ્યું સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી જનતા પોતાની જાતે જ કર્ફ્યૂ કરે અને ઘરની બહાર ન નીકળે.
PM મોદીએ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના લોકો સાથે કરી વાતચીત
Prime Minister Narendra Modi today interacted with the members of associations in the Pharmaceutical sector, over #COVID19, through video conferencing. pic.twitter.com/rsm89XrLJq
ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના સંગઠનોના સભ્યો સાથે વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા કોરોના પર વાતચીત કરી.
જનતા કર્ફ્યૂથી દેશહિતનો સંકલ્પ
PM મોદીએ કહ્યું, ‘‘આ રવિવારે 22 માર્ચના સવારે સાત વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી દરેક દેશવાસીઓને જનતા કર્ફ્યૂનો પાલન કરવો છે. તે દરમિયાન કોઇ પણ નાગરિક ઘરથી બહાર ન નિકળે. સોસાયટી કે રસ્તામાં ક્યાંય ન જાય. જરૂરી સેવાથી જોડાયેલા લોકોને તો જવું જ પડશે કારણ કે તેમની ફરજ હોય છે. 22 માર્ચના આપણો આ પ્રયાસ દેશહિતમાં એક મજબૂત પ્રયાસ સાબિત થશે.’’