દેશમાં કોરોનાની બીજી લહેરથી હાહાકાર મચ્યો છે. મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉનના ભણકારા સંભળાઈ રહ્યા છે.
મહારાષ્ટ્ર દિલ્હી સહિત 8 રાજ્યો કોરોનાથી બેહાલ છે
મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉનના ભણકારા
મહારાષ્ટ્રમાં કોરોનાની વચ્ચે બ્લડનું સંકટ
મહારાષ્ટ્રમાં સ્થિતિ બે હાલ થતા સંપૂર્ણ લોકડાઉનના અણસાર
મહારાષ્ટ્ર દિલ્હી સહિત 8 રાજ્યો કોરોનાથી બેહાલ છે. મહારારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં, મહારાષ્ટ્રમાં 43,183 નવા કોરોનાના કેસ નોંધાયા છે. મુંબઇમાં ગુરુવારે 8846 નવા કેસ આવ્યા હતા. રાજ્યમાં 249 લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે મુંબઈમાં 18 લોકોના મોત થયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 28 લાખ 56 હજાર 163 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 24 લાખ 33 હજાર 368 સાજા થયા છે. 3,66,533 એક્ટિવ સક્રિય દર્દીઓ છે. અત્યાર સુધીમાં 54,898 લોકોનાં મોત થયાં છે. તેવામાં ઉદ્ધવ ઠાકરે કોરોનાને રોકવા માટે કડક પગલા ભરી શકે છે. રાજ્યમાં થોડાક દિવસો માટે ટોટલ લોકડાઉનનું એલાન કરી શકે છે. ત્યારે બીજી તરફ દિલ્હીના સીએમે ઈમરજન્સી બેઠક બોલાવી છે. દેશમાં કુલ કેસના 84 ટકા કેસ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટકા, પંજાબ, કેરળ, તમિલનાડુ ઉપરાંત ગુજરાત અને મધ્ય પ્રદેશમાં નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાની વચ્ચે બ્લડનું સંકટ
મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. તેની વચ્ચે રાજ્યમાં લોહીની અછતનું સંકટ પર તોડાઈ રહ્યું છે. બ્લડ બેંકમાં હવે 7થી 8 દિવસ માટેનું જ લોહી બચ્યુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેને પગલે સ્વાસ્થ્ય મંત્રીએ લોકોને બ્લડ ડોનેશન માટે અપીલ કરી છે.
દિલ્હીમાં નવા કેસ 3 હજારની નજીક પહોંચ્યા
દિલ્હીમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં ગુરુવારે 2790 નવા કેસ આવ્યા છે. ત્યારે 9 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કુલ કેસ 6,65,220 થઈ ગયા છે. તો અત્યાર સુધીમાં 11, 036 લોકોના મોત થયા છે. સ્થિતિને જોતા કેજરીવાલ સરકાર એક્શન મૂડમાં આવી છે. સીએમ અરવિંદ કેજરીવાલે સાંજે 4 વાગે પોતાના નિવાસ પર ઈમરજન્સી બેઠક બોલાવી છે. બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન, સ્વાસ્થ્ય વિભાગ સહિત અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ પણ હાજર રહેશે.
પંજાબમાં નવા કેસ ફરી 3 હજારને પાર
રાજ્યમાં ગુરુવારે 3, 161 નવા દર્દી મળ્યા. 2, 291 લોકો સાજા થયા. જ્યારે 58 ના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 2.42 લાખ લોકો કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે. જેમાંથી 2.11 લાખ લોકો સાજા થયા છે. 6, 926 ના મોત થયા છે. હાલ 24, 644 લોકોની સારવાર ચાલી રહી છે.
ત્રીજા ફેઝના પહેલા દિવસે 15 લાખથી વધારે લોકોને અપાઈ રસી
ગુરુવારે ત્રીજા ચરણનું રસીકરણ શરુ થયું છે. જેમાં પહેલા દિવસે 45 અથવા તેનાથી વધારે ઉંમરના લોકોને 15 લાખ 28 હજાર 639 લોકોને રસી અપાઈ છે. હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યાનુંસાર 1 એપ્રિલ રાતે 8 વાગ્યા સુધી દેશ ભરમાં કુલ 6. 75 કરોડ લોકોએ રસી લઈ લીધી છે. જેમાં 45 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના 4 કરોડ 1 લાખ 6 હજાર 304 લોકો સામેલ છે. દેશભરમાં અત્યાર સુધી 88 લાખ 48 હજાર 558 હેલથ વર્કર્સને પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. 52 લાખ 63 હજાર 108 હેલ્થ વર્કર્સ બીજો ડોઝ લઈ ચૂક્યા છે. ફ્રન્ટ લાઈન વર્કર્સ 93 લાખ 99 હજાર 776ને પહેલો ડોઝ અને 39 લાખ 18 હજાર 646 લોકોને બીજો ડોઝ મળી ચૂક્યો છે.