ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે . અત્યાર સુધીમાં 3 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે 153 એક્ટિવ કેસ તેમજ 172 લોકો કોરોના ગ્રસ્ત છે. 168 ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. પીએમ મોદીઓ આજે રાતે 8 વાગે કોરોના વાયરસને લઈને પ્રજાને સંબોધશે. ત્યારે લોકોમાં એવી અટકળો ચાલી રહી છે કે તે આજે લોક ડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ભારતમાં કોરોના વાયરસના કેસ વધ્યા
આજે રાષ્ટ્રને સંબોધન કરસે પીએમ મોદી
કોરોના સામે લડવા બાબતે કરશે જાહેરાત
કોરોના વાયરસની વચ્ચે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને સંબોધવાના છે. અત્યાર સુધીમાં 172 કોરોનાના કેસ ભારતમાં સામે આવ્યા છે. 3 લોકોના મોત નિપજ્યા છે. લોકોમાં ભયનો માહોલ છે ત્યારે આજે પીએમ મોદી શું કહેવાના છે તેના પણ તમામ લોકોની નજર છે. શું પ્રધાનમંત્રી કોઈ મોટુ એલાન કરવાના છે. શું તેઓ લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરવાના છે કે બીજી કોઈ જાહેરાત કરવાના છે આ અંગે અનેક અટકળો ચાલી રહી છે.
કોરોનાને લઈને મોદીની મોટી બેઠક, આજે સંબોધન કરશે
બુધવારે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને લઈને મોટી બેઠક કરવામાં આવી છે. જેમાં વરિષ્ઠ અધિકારીઓ હાજર કર્યા હતા. આ દરમિયાન દેશની હોસ્પિટલોની વ્યવસ્થા, સેમ્પલ ચેકિંગ સેન્ટર, તેમજ તમામ પ્રવાસીઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ બાદ પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જણાવવામાં આવ્યું હતું કે ગુરુવારે રાતે 8 વાગે પ્રધાનમંત્રી દેશને સંબોધીત કરશે. ઉલ્લેખનીય છે કે નોટબંધી વખતે, સ્પેસ મિસાઈલ લોન્ચ કરતા સમયે પીએમએ દેશને સંબોધન કર્યુ હતુ.
નેશનલ ઈમરજેન્સી- લોકડાઉન કે પછી બીજું કઈ
જ્યારથી દેશમાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. એક્સપર્ટથી લઈને સરકાર દ્વારા ઘરમાં જ રહેવા માટે સલાહ આપવામાં આવી રહી છે. લોકોથી તેમજ ભીડવાળા વિસ્તારથી દુર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. કોરોનાનો કહેર અનેક રાજ્યોમાં ફેલાતા મોલ, સ્કુલ, કોલેજ, જીમ તેમજ અનેક પબ્લિક પ્લેસ બંધ કરી દેવામાં આવ્યા છે.
હેલ્થ ઈમરજન્સી જેવી સ્થિતિનો ઉપયોગ કરી શકાય
જો પ્રધાનમંત્રી પોતે લોકડાઉનનનું એલાન કરે છે અને લોકોને સાવધાન રહેવાની અપીલ કરે છે તો તેમની વાત એક મોટા સમુદાય સુધી પહોંચશે. તેમજ લોકો કોરોના વાયરસના ખતરાને ગંભીતાથી લેશે. આ ઉપરાંત આની મહામારીને જોતા નેશનલ ઈમરજન્સી અથવા હેલ્થ ઈમરજન્સી જેવી સ્થિતિનો ઉપયોગ કરી શકાય છે.
હાલ ક્યાં કેટલા કેસ
હાલમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 153 છે. કોરોનાથી પીડિત દર્દીનો આંક મહારાષ્ટ્રમાં 47, આંધ્રમાં 2, દિલ્હીમાં 10, ચંદીગઢમાં 1 કેસ સામે આવતા હરિયાણામાં 17, કર્ણાટકમાં 14, કેરળમાં 27, પંજાબમાં 2, રાજસ્થાનમાં 7, તમિલનાડુમાં 1, તેલંગાણામાં 13, જમ્મૂ કાશ્મીરમાં 4, લદ્દાખમાં 8, ઉત્તરપ્રદેશમાં 17, ઉત્તરાખંડમાં 1, ઓરિસ્સામાં 1 અને પશ્ચિમ બંગાળમાં 1 કેસ નોંધાયો છે.