કોરોના રસીથી કોરોનાની ગંભીર સ્થિતિ અને મૃત્યુ દરમાં રાહત મળી રહી છે. ત્યારે શું આ રસીથી અન્ય ગંભીર બિમારીઓથી થનારા મૃત્યુ દરને પણ અસર કરી રહી છે? જાણો નવું રિસર્ચ શું કહે છે.
Kaiser Permanente દ્વારા શોધ કરવામાં આવી છે
અધ્યયનમાં ભાર માત્ર બિન કોવિડ સંબંધી મોતોના વિશ્લેષણ પર હતો
રસીથી કોરોનાની ગંભીર સ્થિતિ અને મૃત્યુ દરમાં રાહત મળી રહી છે
Kaiser Permanente દ્વારા શોધ કરવામાં આવી છે
Kaiser Permanente દ્વારા કરવામાં આવેલી આ શોધને અમેરિકન સ્વાસ્થ્ય સંસ્થા Centers for Disease Control and Preventionએ Morbidity and Mortality Weekly Report માં પ્રકાશિત કરી છે. અધ્યયન દરમિયાન શોધકર્તાઓએ અમેરિકામાં રસી લેનારા 6.4 મિલિયન લોકોના ઈલેક્ટ્રોનિક હેલ્થ રિકોર્ડનું વિશ્લેષણ કર્યું છે. આ આંકડાની સરખામણી 14 ડિસેમ્બર 2020થી 31 જુલાઈ 2021 દરમિયાન રસી ન લેનારા 4.6 મિલિયન લોકોના ડેટા સાથે કરવામાં આવી છે. અધ્યયનમાં ભાર માત્ર બિન કોવિડ સંબંધી મોતોના વિશ્લેષણ પર હતો.
અમેરિકામાં કોરાનાના રસીકરણ માટે આ રસીનો ઉપયોગ
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં કોરાનાના રસીકરણ માટે ફાયઝર, મોર્ડના અને જોનસન એન્ડ જોનસની રસીનો ઉપયોગ થઈ રહ્યો છે. ફાયઝર અને મોર્ડનાના પૂર્ણ રસીકરણ માટે 2 ડોઝની જરુર પડે છે. જ્યારે જોનસન એન્ડ જોનસનની રસીના એક ડોઝથી સંપૂર્ણ રસીકરણ થાય છે.
રસી લેનાર અને ન લેનાર નો મૃત્યુદર કેટલો
અંગ્રેજી અખબરા મુજબ અધ્યયનમાં જોવા મળ્યું કે ફાયઝરની રસી લેનારા લોકોમાં મૃત્યુદર પહેલા ડોઝ બાદ પ્રતિ હજાર 4.2 મોત હતા. પરંતુ બીજા ડોઝમાં આ હજું ઘટીને 3.5 મોત પ્રતિ હજાર થઈ ગયા છે. ત્યારે રસી ન લેનારા લોકોની સરખામણીએ આ ગ્રુપમાં પ્રતિ વર્ષ મૃત્યુ દર પ્રતિ હજારે 11.1 મોત હતા.
મોર્ડનાની રસી લેનારા લોકોમાં પહેલા ડોઝ બાદ મૃત્યુ દર પ્રતિ હજારે 3.7 હતો. ત્યારે બીજા ડોઝ બાદ આ ઘટીને 3.4 થયો. ત્યારે રસી ન લેનારા લોકોની સરખામણીએ આ ગ્રુપમાં પ્રતિ વર્ષ મૃત્યુ દર પ્રતિ હજાર 11.1 મોત હતા. ત્યારે જોનસન એન્ડ જોનસનની રસી લગાવનારામાં પ્રતિ વર્ષ મૃત્યુ દર પ્રતિ હજાર 8.4 જોવા મળ્યો. ત્યારે રસીકરણ ન કરાવનારા લોકોમાં મૃત્યુ દર પ્રતિ હજાર 14.7 હતી.