કોરોના વાયરસની રોકથામ માટે લૉકડાઉનના નિર્ણયને સફળ બનાવવા માટે નોઇડામાં ધારા 144ને 30 એપ્રિલ સુધી વધારી દેવામાં આવી છે. તેનુ ઉલ્લંઘન થવા પર આઇપીસીની ધારા 188 હેઠળ કાર્યવાહી કરાશે.
કોરોનાને લઇને લૉકડાઉન સફળ બનાવવા નોઇડામાં ધારા 144ને 30 એપ્રિલ સુધી વધારવામાં આવી
કોરોના મહામારીને પગલે દેશમાં 14 એપ્રિલ 2020 સુધી લૉકડાઉન જાહેર કરાયું છે
એડિશનલ ડેપ્યૂટી કમિશનર ઓફ પોલીસ આશુતોષ દ્વિવેદીએ જણાવ્યું કે કોરોના વાયરસ (Coronavirus)ના ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તર પર સંક્રમણને જોતા ભારત સરકાર દ્વારા આખા દેશમાં 14 એપ્રિલ 2020 સુધી લૉકડાઉન જાહેર કરાયું છે. આ સંબંધમાં કેન્દ્રીય અને સ્થાનીય સ્તરે પણ વિસ્તૃત દિશાનિર્દેશ જાહેર કરાયા છે.
કોરોના વાયરસથી બચાવ અને જન સ્વાસ્થ્યની રક્ષા માટે પ્રતિબંધક પગલાના અંતર્ગત 5 એપ્રિલ સુધી ધારા 144 હેઠળ લાગુ કરવાનો આદેશ અપાયો હતો, જેને હવે 30 એપ્રિલ સુધી આગળ વધારવામાં આવ્યો છે.
તેઓએ કહ્યું કે લૉકડાઉનની સમયમર્યાદા સમાપ્ત થયા બાદ પણ રાજનૈતિક, સાંસ્કૃત્તિક, ધાર્મિક, ખેલ સંબંધી આયોજનના કોઇપણ પ્રકારના પ્રદર્શન, રેલીઓ, જુલુસ અને અન્ય પ્રકારના કાર્યક્રમો પર પ્રતિબંધ મુકાયો છે. તેઓએ કહ્યું કે જે પણ વ્યક્તિ આ આદેશનું ઉલ્લંઘન કરશે, તેના વિરુદ્ધ કલમ 188ની અંતર્ગત કડક કાર્યવાહી કરાશે.