દેશમાં કોરોના વાયરસના સંક્રમણનો ગ્રાફ સતત ઉપર આવી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકવાનું નામ નથી લઇ રહ્યું. કોરોના વાયરસના કારણે દેશમાં મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. હવે છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં એક દિવસમાં કોરોના વાયરસના કારણે સૌથી વધુ મોત દાખલ થયા છે. આની સાથે જ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 2000ને પાર થઇ ગયો છે.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો ભરડો
મહારાષ્ટ્રમાં કોરોનાથી 2000થી વધુ મોત
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 62228 પોઝિટિવ કેસ
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2682 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા 60 હજારને પાર થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 62228 દર્દીઓની પુષ્ટિ થઇ ચૂકી છે.
મહારાષ્ટ્રમાં હવે એક્ટિવ દર્દીઓની સંખ્યા 33124 છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કોરોના દર્દીઓની સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં 8381 અને કોરોના સંક્રમિતોની સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં 26997 કોરોના દર્દીઓની સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવી ચૂક્યા છે.
મહારાષ્ટ્રમાં કેટલા મોત?
ત્યારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 2 હજારથી વધુ લોકોની જીવ જઇ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે સૌથી વધુ મોત થયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 116 લોકોના કોરોના વાયરસના કારણે મોત થઇ ચૂક્યા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે 2098 લોકોના જીવ જઇ ચૂક્યા છે.
મુંબઈમાં કેટલા દર્દી?
મહારાષ્ટ્રમાં મુંબઈ કોરોનાના કારણે સૌથી વધુ પ્રભાવિત છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 1447 નવા કોરોના દર્દીઓની પુષ્ટિ થઈ છે. ત્યારે મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 38 લોકોના કોરોના વાયરસના કારણે મોત થઇ ચૂક્યા છે. આની સાથે જ મુંબઈમાં અત્યાર સુધી 36932 કોરોના દર્દીઓ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 1173 લોકોના કોરોના કારણે મોત થઇ ચૂક્યા છે. મુંબઈમાં અત્યાર સુધી એક્ટિવ કોરોનાના દર્દીઓની સંખ્યા 19754 છે. ત્યારે, 16008 કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી ચૂકી છે.
મહારાષ્ટ્રમાં કેટલું છે ડબલિંગ રેટ?
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના દર્દીઓના ડબલિંગ રેટ હવે 15.7 દિવસ છે. ગત અઠવાડિયે કોરોના દર્દીઓના ડબલિંગ રેટ 11 દિવસ હતા. ગત અઠવાડિયે તુલનામાં આમાં સુધારો દેખાયો છે. ત્યારે મહારાષ્ટ્રમાં રિકવરી રેટ 43.38 ટકા છે. મૃત્યુ દર 3.37 ટકા છે.