ગુજરાતમાં કોરોના મહામારીના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન-3માં પરપ્રાંતિય મજદૂર-વિદ્યાર્થીઓને પોતાના વતન મોકલવાને લઇને એડવાઇઝરી જાહેર કરી હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા તેઓને શરતોને આધીન પોતાના વતન મોકલવાની વ્યવસ્થા કરે. જો કે મુખ્યમંત્રી વિજય રુપાણીના પોતાના વતનમાં સતત છેલ્લા બે દિવસથી પરપ્રાંતિયો દ્વારા વતનમાં જવાને લઇને હોબાળો જોવા મળી રહ્યો હતો. જેને લઇને તંત્ર દ્વારા પરપ્રાંતિય શ્રમિકોને લઇને રાજકોટથી ઉત્તર પ્રદેશના બલિયા ગામ જવા પ્રથમ ટ્રેન રવાના કરવામાં આવી છે.
રાજકોટ થી યુપીના બલિયા ગામ જવા પ્રથમ ટ્રેન રવાના
પ્રથમ ટ્રેનમાં 1200 શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા..
મેડિકલ ચેકપ કરી શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા
રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસથી પરપ્રાંતિય શ્રમિકો દ્વારા પોતાના વતનને જવાને લઇને હોબાળો કરવામાં આવી રહ્યો હતો. ત્યારે તંત્ર દ્વારા ગઇકાલે ભરોસો આપતાં પરિસ્થિતિ શાંત થયેલી જોવા મળી હતી. જેને લઇને તંત્ર દ્વારા પરપ્રાંતિય શ્રમિકો માટે રાજકોટથી ઉત્તર પ્રદેશના બલિગા ગામ જવા પ્રથમ સ્પેશિયલ ટ્રેન દોડાવામાં આવી.
રાજકોટથી ઉત્તરપ્રદેશના બલિયા ગામ જવા પ્રથમ ટ્રેનમાં 1200 શ્રમિકોને પોતાના વતનમાં મોકલવામાં આવ્યાં. જેમાં જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સાથે મળી વ્યવસ્થા કરવામાં આવી. જેમાં મેડિકલ ચેક અપ કર્યાં બાદ શ્રમિકોને વતન મોકલવામાં આવ્યાં.
જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ટ્રેનમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે રીતની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે શ્રમિકોને ટ્રેનમાં પાણી અને ફૂડ પેકેટની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. રાજકોટના કાનુડા મિત્ર મંડળ દ્વારા મજૂરોને વતન મોકલવા ખર્ચ આપવામાં આવ્યો. આ સાથે 8.70 લાખ રૂપિયા ટીકીટ ખર્ચ તેમજ ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થા સામાજિક સંસ્થાએ કરી આપી.