ગુજરાતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે જાહેર કરાયેલા લોકડાઉન વચ્ચે રાજકોટમાં આવેલા માર્કેટિંગ યાર્ડને ચાલુ કરવાને લઇને ચેરમેન અને કલેકટર આમને સામને જોવા મળ્યાં છે. આજરોજ રાજકોટના કલેકટરે જણાવ્યું હતું આવતીકાલથી માર્કેટિંગ યાર્ડ શરૂ કરવામાં આવશે.
રાજકોટમાં માર્કેટિંગ યાર્ડ શરૂ કરવાને લઈને વિવાદ
રાજકોટ માર્કેટ યાર્ડ શરૂ કરવાને લઈને કલેક્ટરનું નિવેદન
બુધવારથી રાજકોટ માર્કેટિંગ યાર્ડ શકૂ કરાશે
ઉલ્લેખનીય છે કે અગાઉ માર્કેટિંગ યાર્ડ શરૂ કરવાને લઈને સરકાર દ્વારા સંચાલકો પાસેથી સૂચન મંગાવવામાં આવ્યા હતા. જેને લઇને ચેરમેને માર્કેટિંગ યાર્ડ શરૂ ન કરવાનું સુચન આપ્યું હતું. જો કે આજરોજ કલેકટર દ્વારા આવતી કાલથી શરૂ કરવાના નિવેદનને લઇને માર્કેટિંગ યાર્ડ શરૂ કરવાને લઇને વિવાદ વકરતો જોવા મળ્યો છે.
રાજકોટ માર્કેટ યાર્ડ શરૂ કરવાને લઈને કલેક્ટરનું નિવેદન
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં માર્કેટિંગ યાર્ડ શરૂ કરવાના મામલે કલેક્ટરે નિવેદન આપ્યું છે કે, બુધવારથી રાજકોટ માર્કેટિંગ યાર્ડ શરૂ કરાશે. માર્કેટ યાર્ડના કમિશન એજન્ટ અને વેપારીઓને પાસ આપવામાં આવશે. કમિશન એજન્ટો અને વેપારીઓ ખેડૂતો પાસે જઈને ખરીદી કરી શકે છે. વેપારીઓ ગામડે-ગામડે જઈને ખરીદી કરી શકે છે.
રાજકોટ શહેરમાં માસ્કને લઈને કલેકટરે પ્રતિક્રિયા આપી છે કે, રાજ્યમાં કોરોનોનો કહેર યથાવત્ છે. માસ્ક પહેરવાથી ચેપ લાગવાનો ખતરો ઓછો છે. હાલમાં જિલ્લામાં માસ્ક વિતરણની કામગીરી ચાલી રહી છે..તંત્ર દ્વારા કાપડના માસ્ક બનાવીને વિતરણ કરાય છે.