આજે લૉકડાઉન બાદ PM મોદી ચોથી વખત વીડિયો કોન્ફરન્સથી મીટિંગ કરી હતી. આજે તમામ રાજ્યો સાથેની વીડિયો કોન્ફરન્સમાં PM મોદી ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન-કન્ટેનમેન્ટ ઝોન મુદ્દે ચર્ચા કરી. આ સાથે જ 3 મે બાદની રણનીતિને લઇ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી છે. બેઠકમાં કુલ 5 રાજ્યોના સીએમએ લૉકડાઉન લંબાવવાની વાતને સમર્થન આપ્યું છે.
PM મોદીની વીડિયો કોન્ફરન્સ શરૂ
લૉકડાઉન લંબાવવાને લઈને રાજ્યોના સીએમ સાથે કરશે ચર્ચા
કોંગ્રેસ શાસિત રાજ્યોના સીએમ કરી શકે છે માંગની રજૂઆત
PM મોદીની વીડિયો કોન્ફરન્સમાં તમામ રાજ્યોના સીએમની ચર્ચા બાદ નિષ્કર્ષ આવ્યો તેમાં 5 રાજ્યોના સીએમએ લૉકડાઉન લંબાવવાની અપીલ કરી છે.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું આ લાંબી લડાઇ, ધૈર્યપૂર્વક લડવાની છે
કોરોના વાયરસને લઈને પીએમ મોદી સાથેની બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. PM-CMની બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે આ લાંબી લડાઇ, ધૈર્યપૂર્વક લડવાની છે. લૉકડાઉન ઉલ્લંઘનની ઘટનાઓ રોકવામાં આવે. સરકારે કેટલાક વેપાર-ઉદ્યોગોને છૂટ આપી છે. ઉલ્લેખનીય છે કે અન્ય દેશો કરતા ભારતની સ્થિતી સારી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની ચર્ચામાં લગભગ 9 રાજ્યોના મુખ્ય પ્રધાનો પોતાનો અહેવાલ રજૂ કરશે. જેમાં મેઘાલય, મિઝોરમ, ગુજરાત, બિહાર, ઓડિશા, પુડ્ડુચેરી, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ઉત્તરાખંડના મુખ્ય પ્રધાનોનો સમાવેશ થાય છે. આ બેઠકમાં કેરળના મુખ્યમંત્રી પિનરાય વિજયન હાજર રહ્યા નથી.
Chief Minister of Kerala, Pinarayi Vijayan (in file pic) is not attending video conference meeting of CMs with Prime Minister Narendra Modi today on #COVID19 situation. Kerala has given its suggestions in writing. Kerala Chief Secretary is attending the meeting: Sources pic.twitter.com/nd0LgW8Bho
કોરોના વાયરસને લઈને પીએમ મોદી બેઠક કરી રહ્યા છે ત્યારે કેરળના સીએમ હાજર રહ્યા નથી. મળતી માહિતી અનુસાર આ બેઠક માટેના સૂચનો તેઓએ અગાઉથી જ આપી દીધા હતા. તેમની તરફથી તેમના રાજ્યના ચીફ સેક્રેટરી હાજર રહ્યા છે. કેરળ મુખ્યમંત્રીની હાજરીને લઈને કાર્યાલય તરફથી જણાવવામાં આવ્યું કે અમે કીધું હતું કે આ ખાસ છે અને કોરોના અંગે લૉકડાઉન મુદ્દે વિચાર કરવાનો છે. કહેવાયું છે કે નોર્થ અને ઇસ્ટ રાજ્યો પર ફોકસ રાખવાનું છે. આ માટે તેમના પ્રતિનિધિ રૂપે તેમના રાજ્યના ચીફ સેક્રેટરી હાજર રહ્યા હતા.
મેઘાલયના મુખ્યમંત્રીએ કરી આ વાત
કોરોનાને લઈને મેઘાલયના સીએમએ કહ્યું કે 3 મે પછી પણ લૉકડાઉન કાયમ રાખવામાં આવે. તો જ કોરોનાને નાથી શકાશે.
Chief Minister of Karnataka BS Yediyurappa attends video conference meeting of Chief Ministers with Prime Minister Narendra Modi, on COVID19 situation. pic.twitter.com/hCmi5hYgCy
કોરોના ચેપના મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે દેશના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે પશ્ચિમ બંગાળની મમતા સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ટકરાવની સ્થિતિ છે. આ સિવાય કેન્દ્ર સરકાર અને બિન-ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો વચ્ચેનો સંબંધ પણ મજબૂત છે.
લૉકડાઉન વધારવાને લઈને સીએમ સાથે કરશે ચર્ચા
PM મોદી દેશના તમામ મુખ્યમંત્રીઓના પોતપોતાના રાજ્યોમાં થનારી અસર અંગે પ્રતિક્રિયા લેશે અને રાજ્યમાં સામાન્ય કામગીરી શરૂ કરવા અંગે અભિપ્રાય લેવામાં આવશે. PM મોદી લોકડાઉન અવધિ વધારવા અને તેમાંથી કેવી રીતે બહાર નીકળવું તે અંગે દેશના મુખ્યમંત્રીઓ સાથે પણ વાત કરશે. તે જ સમયે, રાજ્યોના અર્થતંત્ર, રોજગાર, ઉદ્યોગ અને વ્યવસાયના પડકારોની સાથે, રાજ્યોના મુખ્યમંત્રી સ્થળાંતર મજૂરોનો મુદ્દો ઉઠાવી શકે છે.