દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં મંગળવારે કોરોના વાયરસ સંક્રમણના કેસનો કુલ આંકડો વધીને 1 લાખને પાર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 3163 લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે કોરોના સંક્રમણના કેસની સંખ્યા વધીને 1,01,139 થઇ ગઇ છે.
દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 3163 લોકોના મોત થઇ ચૂક્યા છે
દેશમાં કોરોના સંક્રમણના કેસની સંખ્યા વધીને 1,01,139 થઇ ગઇ છે
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 4910 નવા કેસ સામે આવ્યા છે અને 134 લોકોના મોત થયા છે. જોકે, રાહતની વાત એ છે કે 39,174 દર્દીઓ કોરોના બીમારીને હરાવવામાં સફળ રહ્યા છે. દેશમાં કોરોનાથી રિકવરીનો રેટ સુધરીને 38.73 ટકા પર પહોંચી ગયો છે.
મહારાષ્ટ્રમાં આંકડો 35 હજાર ઉપર પહોંચ્યો
કોરોના વાયરસથી સૌથી પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં સંક્રમણનો આંકડો 35,000ની પાર પહોંચી ગયો છે. સોમવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 2033 નવા કેસ સામે આવ્યા અને આ દરમિયાન 51 લોકોના મોત થઇ ગયા. આમ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 35,058 થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 1249 લોકોના મોત થયા છે. જ્યારે મહારાષ્ટ્રના મુંબઇમાં આજે કોરોનાના 1185 નવા કેસ સામે આવ્યા છે. મુંબઇમાં કોરોનાનો આંકડો 21,335 એ પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1249 લોકોના મોત થયા છે.
દિલ્હી પાસેના નોઇડામાં એક દિવસમાં સૌથી વધારે કેસ
નોઇડામાં સોમવારે એક જ દિવસમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ સામે આવ્યા છે. સોમવારે નોઇડામાં કોરોના વાયરસના 31 નવા કેસ જોવા મળ્યા, આમ અહીં સંક્રમણનો આંકડો વધીને 286 થઇ ગયો છે.