દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા નવા આંકડા જાહેર કરાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર, દેશમાં કોરોના વાયરસના સંક્રમણની સંખ્યા વધીને 9152 થઇ ગઇ છે.
દેશમાં કોરોના વાયરસના સંક્રમણની સંખ્યા વધીને 9152 થઇ
કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 308 લોકોના મોત થયા છે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 7987 કેસ એક્ટિવ છે અને 856 દર્દીઓ આ ગંભીર બીમારીથી ઠીક થયા છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 308 લોકોના મોત થયા છે. ગત 24 કલાકમાં જ દેશમાં કોરોના વાયરસથી 35 લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે કોરોના સંક્રમણના આ કેસમાં 72 વિદેશી નાગરિકો પણ સામેલ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશના 15 રાજ્યોના 25 જિલ્લાઓમાં કોરોના વાયરસના કેસ આવવાના બંધ થઇ ગયા છે. તેમા શરૂઆતમાં ઘણા પોઝિટિવ કેસ નોંધાયા હતા.
હવે રાજ્યવાર આંકડાની વાત કરીએ તો, કોરોના વાયરસને કારણે મહારાષ્ટ્રમાં 22, દિલ્હીમાં 5, ગુજરાતમાં 3, પશ્ચિમ બંગાળમાં બે અને તામિલનાડુ, ઝારખંડ અને આંધ્રપ્રદેશમાં એક-એક વ્યક્તિના મોત થયા છે. મંત્રાલયના આંકડા અનુસાર સંક્રમણથી કુલ 308 લોકોના મોતમાં સૌથી વધારે મહારાષ્ટ્રના લોકો છે. મહારાષ્ટ્રમાં આ વાયરસના સંક્રમણથી 149, મધ્યપ્રદેશમાં 36, ગુજરાતમાં 25, અને દિલ્હીમાં 24 લોકોના મોત થયા છે.