દવા લેવા આવેલો દર્દી બેભાન થઈ ગયો હતો અને બેભાન દર્દીને CPR પદ્ધતિથી પ્રાથમિક સારવાર આપી જીવ બચાવ્યો છે.
દવા લેવા આવેલા દર્દીનો ટેસ્ટ કરતા કોરોનાગ્રસ્ત જણાયો હતો
કોરોનાગ્રસ્ત દર્દીનો જીવ બચાવતા સંચાલક પણ કોરોનાગ્રસ્ત થયા હતા એટલું જ નહીં પણ અન્ય બે મેડિકલ કર્મચારીઓ પણ કોરોનાગ્રસ્ત થયા હતા. સંચાલક બે કર્મીઓ સાથે હોમઆઈસોલેશન હેઠળ છે. દવા લેવા આવેલા દર્દીનો ટેસ્ટ કરતા કોરોનાગ્રસ્ત જણાયો હતો.
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં મહેકી ઉઠી માનવતા. જનઔષધિ કેન્દ્રના સંચાલકે જીવના જોખમે કોરોનાગ્રસ્તનો જીવ બચાવ્યો. બાદમાં પોતે પણ કોરોનાગ્રસ્ત થયા. તેમણે કહ્યું- ‘કોરોના તો કાલે મટી જશે, માનવતા રહેવી જોઈએ’ #Vadodara#Coronaviruspic.twitter.com/2lC5A8tE4W
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 7, 2021
શું કહે છે દુકાન માલિક?
વડોદરાની દવાની દુકાનમાં ખરીદી કરવા આવેલો 50 વર્ષીય ગ્રાહક ઢળી પડ્યા બાદ વેપારી બાલકૃષ્ણ ગજ્જરે પળભરનો વિલંબ કર્યા વિના સીપીઆર પદ્ધતિથી પ્રાથમિક સારવાર આપતાં તેનો જીવ બચી ગયો હતો. બાદમાં ગ્રાહકનો કોરોના ટેસ્ટ કરાતાં પોઝિટિવ આવ્યો હતો, જેને પગલે વેપારીએ ટેસ્ટ કરાવતાં તેમને પણ સંક્રમણ લાગી ગયું હતું. જોકે વેપારીએ કહ્યું હતું કે સંક્રમણ તો કાલે મટી જશે, પરંતુ જો ગ્રાહકના જીવને જોખમ સર્જાત તો માનવતા પર લાગેલું સંક્રમણ ક્યારેય ન સાજું થઇ શકત. ભલે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પણ ગ્રાહકનો જીવ બચી ગયાનો અપાર સંતોષ છે.