રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતમાં ઉદ્યોગોના કર્મચારીઓમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. હીરા ઉદ્યોગ સાથે ટેક્સટાઇલમાં પણ સંક્રમણ ફેલાયું છે. સુરતના આ ઉદ્યોગો પર કોરનાની કાળી નજર પડી છે. અમદાવાદ બાદ સુરત કોરોનાનો કોળિયો બની રહ્યુ છે.
શહેરના મુખ્ય બે ઉદ્યોગોમાં સંક્રમણ ફેલાતા ચિંતા
હીરા ઉદ્યોગમાં 23 દિવસમાં 419 રત્નકલાકારો થયા સંક્રમિત
કાપડ ઉદ્યોગમાં 4 દિવસમાં 82 લોકોને કોરોના
શહેરના મુખ્ય બે ઉદ્યોગોમાં સંક્રમણ ફેલાતા ચિંતા જોવા મળી રહી છે. હીરા ઉદ્યોગમાં 23 દિવસમાં 419 રત્નકલાકારો સંક્રમિત થયા છે. કાપડ ઉદ્યોગમાં 4 દિવસમાં 82 લોકોને કોરોના થયો છે.
રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં કુલ 28429 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના બાદ રાજ્યમાં કુલ 20521 લોકો સાજા થયા છે.
કોરોનાથી રાજ્યમાં કુલ 1711 લોકોના મૃત્યુ થયા છે.